SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-થું વળી તે પંચમંગલમાં સમાવિષ્ટ કરેલા દેવ અને ગુરૂતત્વને ચોવી તે સ્થાપવામાં આવેલા છે કે જેથી તે દ્વારા દેવ અને ગુલને આરાધના કરવામાં આવે તેમાં ધર્મત આગળ રહ્યા છે કરે, અર્થાત્ તે પચમંગલની અંદર પંચપરમેષ્ઠિ ભેગનેને ધર્મતત્વની મહત્તાવાળાં નામથી જ સ્થાપન કરવામાં આવેલા છે, એટલે ધર્મતત્વની મહત્તા અને આરાધકતા સમજવાવાળે પુણ્યશાલી તે પંચપરમેષ્ઠીને મહાન અને આરાધ્ય ગણી શકે છે. પંચપરમેષ્ઠીને આરાધના મનુષ્ય સહેજે એ વાત તે સમજી શકે કે ધર્મતત્વની આરાધના સ્વયં બની શકે નહિ, પરંતુ ધર્મ તત્ત્વને ધારણ કરનારા ઘેરીપુરૂષોની આરાધના દ્વારા જ તે બની શકે. આવી રીતે પંચપરમેષ્ઠિમંત્રના રહસ્યને સમજનાર મનુષ્ય એ પણ સહેજે સમજી શકશે કે શ્રી અરિહંત-મહારાજાદિ નવપદો કે વીશસ્થાનકેમાં મૂતિમાનપણે જે સ્થાપના થપાય છે તે માત્ર ધર્મ એની જ થાય છે. - આ ઉપરથી ધર્મતત્વની આરાધના નથી થતી કે નથી કરવાની એમ નહિ, પરંતુ તેની આરાધના મૂર્તિમાન શરીર આદિ દ્વારા સીધી રીતે ન હોવાથી તેને સ્થાન કે કઈ મૂર્તિમાન સ્વરૂપ મહેલવામાં આવતું નથી. પરંતુ માત્ર ધર્મતત્વના તે તે પદને જણાવનારા અક્ષરોજ મહેલવામાં આવે છે. આ કારણથી શ્રી સિદ્ધચકના મંડળની અંદર પાંચ પદો જ્યારે મૂર્ત આકારે હોય છે, ત્યારે સમ્યગદર્શન આદિ ચાર પદે કે જેઓ ધર્મસ્વરૂપ છે, તેની સ્થાપના તે અક્ષર દ્વારા કરવી પડે છે. - આ બધું વિચારનાર મનુષ્યને સ્પષ્ટપણે સમજાશે કે-આસ્તિકને આરાધવા લાયક દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તત્તે છતાં પણ ભક્તિનું જન તે ઉપાસક એવા દેવ અને ગુરૂ તથમાંજ ગોઠવાયેલું છે. આ કારણથી શાસ્ત્રકારે પણ વંદન, નમસ્કાર–સત્કાર અને
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy