________________
૨૨
આગમત સ્કાય જેટલું સહન કરે તે પણ તેને માત્ર દેશ-આરાધકપણું એટલે ગુણની અપેક્ષાએ અંશમાત્ર આરાધકપણું થાય છે. - આ વાત સુજ્ઞ મનુષ્ય જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે મહારાજા ઉદયને સ્ત્રીલંપટ અને પ્રતિમાજી તથા દાસીને ઉપાડી જનારા તેમજ સંગ્રામભૂમિ ઉપર પ્રતિજ્ઞાને લેપનારા એવા પણ ચંડuધોત ને સંવત્સરી (પર્યુષણ ને ઉપવાસ છે—એમ જણાવવાથી જે આખે માલવા પ્રાન્ત જીત્યું હતું, તે પાછો આપે, કપાલમાં દીધેલ જે ડામ હતું તે ઢાંકવા માટે સોનાને પટ્ટબન્ધ કરાવ્યું, અને પિતાને સાધર્મિક ગણે, આમ શ્રીમાન ઉદયન મહારાજે પર્યુષણને મહિમા સાચવ્યો, તેની કિંમત બબર સુજ્ઞ મનુષ્યને સમજવામાં આવશે.
દુનિયાદારીમાં દિવાળીના અંગે જુનાં ખાતાં માંડી વાળી સરખાં કરવાનાં હોય છે, તેવી રીતે જૈનશાસનમાં આ એક પર્યુષણને તહેવાર એવો છે કે-જેમાં આખા વર્ષના વૈર-વિરોધના પ્રસંગે સિરાવી દેવાના હોય છે.
આ અપેક્ષાએ જેનના આચારને અંગે “વર્ષને છેલ્લે દિન સંવત્સરી છે.” અને તેને બીજે દિવસ તે વર્ષની શરૂઆતને છે.
આ માટે સાધુઓના પર્યાયનું પ્રમાણ ગણવાને અંગે શાસ્ત્રકારે પર્યુષણુની સંખ્યાને અગ્રપદ આપે છે.
એટલે જેટલી પર્યુષણા કરી હોય તેટલા વર્ષને પર્યાય શાસ્ત્રકારે ગણવાનું જણાવે છે.
અર્થાત્ શાસનની અપેક્ષાએ ઉપશમનું સ્થાન વૈર–વિરોધને સિરાવવાની અપેક્ષાએ ખમતખામણુનું સ્થાન અને સાધુપણાની અપેક્ષાએ પર્યાય ગણવાનું સ્થાન કેઈપણ હોય તે તે માત્ર પર્યુષણજ છે.