SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ . આગમત તમેએ કહેવામાં–બલવામાં જેનપણું રાખ્યું, પણ જીવની એળ ખમાં જૈનપણું ગુમાવી દીધું છે, એટલે કે જૈનેતરપણાના વિચારેએ તમારા ઘરમાં સ્થાન મેળવ્યું છે, જેટલા શરીરધારી એટલા જીર એવું કેઈદી કહ્યું ખરૂં? કેઈને કોઈ રૂપે શરીર તે ધારણ કરેલ જ છે. તમે સરસવ જેટલાને જીવ માને છે અને મેર જેટલાને ફેંકી દેવાની વાત કરે છે. એક બાજુ જગતની જેટલી ઇન્દ્રિયના જી-દેવતા, નારકી, મનુષ્ય બધાને રાખે અને બીજી બાજુ કંદમૂળાદિ સોયની અણી ઉપર આવે તેટલા રાખો અને જ્ઞાની મહાત્માને પૂછે કે-જીવ શામાં વધારે છે? તે પણ કંદમૂળાદિ અનંતકાયમાં જીવ વધારે છે, તેવું જ કહેશે અને તે કેટલા ગુણે? તે કે અનંત ગુણ. આ બધા મેરૂ જેટલા જીવોને તે તમેએ જીવમાંથી જ બાતલ કરી નાખ્યા, જૈનેતરે કે જેઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વર્તમાનમાં વિજ્ઞાનથી સિદ્ધ એવી પણ વનસ્પતિને જીવમાંથી કાઢી ફક્ત ત્રસ જીવેને જ જીવ માનવા લાગ્યા અને તમે જૈન સેવા છતાં પણ તેમની જ માન્યતામાં રહેવા લાગ્યા, પરંતુ જેટલા શરીર ધારી તેટલા બધાને જ ગણી શકાય, પણ આ બધું તમને કયારે સમજાય? જ્યારે સાચા જૈને બને ત્યારે. જગતની દૃષ્ટિએ જોતાં શીખે આપણે મનુષ્યપણું પામ્યા અને આ બધા જ લટકતા રહ્યા, એનું કારણ શું? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, પશુ, પંખી વિગેરે બધા છે છતાં એમને મનુષ્યપણું મળ્યું નહિ અને આપણને જ મળ્યું, એનું કારણ તપાસે, આપણને મળેલું મનુષ્યપણું કેટલી મુશ્કેલીવાળું છે-એ ત્યારે જ સમજાય કે જ્યારે બીજા જીવને વિચાર કરતાં શીખીએ? મનુષ્ય પિતાની સ્થિતિમાં રહી અન્ય છ તરફ દષ્ટિ સરખી પણ ન કરે તે તેને અન્યની મુશ્કેલીને ખ્યાલ જ કયાંથી આવે?
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy