SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ વર્ગ જણાવેલ છે, તે સમ્યગ્દષ્ટિ દેવતાવર્ગને પણ વીતરાગપણાનું ધ્યેય હેઈને વીતરાગના આદર્શરૂપ મૂર્તિની માન્યતા હોયજ છે. (આ સ્થાને ધ્યાન રાખવું કે-કેટલાક મુગ્ધ મનુષ્યને ઠગવા માટે કેટલાક કુકવાદીએ “મૂર્તિપૂજા” એ દેવતાનું કર્તવ્ય છે, પણ મનુષ્યનું કર્તવ્ય નથી એમ પ્રલાપ કરે છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે-શાસ્ત્રોમાં કેઈપણ જગો પર શ્રાવકને અંગે મૂર્તિપૂજાને નિષેધ નથી, એટલું જ નહિ, પરંતુ દ્રૌપદી, સુવર્ણગુલિકાનાં દષ્ટાંતથી તથા વિશાલાના સ્તૂપ અને આચારાંગમાં જણાવાયેલા શ્રાવકેના દેવકુલ અને દેવાયતનેથી શ્રાવકને પણ મૂર્તિપૂજાની કર્તવ્યતા સિદ્ધ થાય છે. અને આવશ્યકાદિ-સૂત્રોમાં સ્થાને સ્થાને તેના પાઠ નજરે પડે છે. પરંતુ દેવતાઓની પૂજાઓનું વધારે જે વર્ણન છે, તે તે માત્ર ભગવાન્ જિનેશ્વરદેવેની અતિશય પૂજ્યતા જણાવવા માટે જ છે. તેથી જેમ ઘા નંગની ગાથામાં લેવા વિ જ ન વંતિ કહીને જેમ ધર્મની અધિકતા જણાવવામાં આવી છે, તેમ દેવતાઓના અધિકારેથી જિનેશ્વરેની અધિક પૂજ્યતા જણાવવામાં આવી છે. શું તે કુતર્કવાદીઓ એમ માનવાને તૈયાર છે કે ધર્મપરાયણ લેકે માત્ર દેવતાથી જ આરાધાય, પણ મનુષ્યથી તે આરાધાય નહિં અને આરાધના કરવી જોઈએ પણ નહિં. વળી શ્રુતજ્ઞાનને મહિમા દેખાડતાં રે નાગgauraમૂકાવવા તેમજ સેવા વનનિવારણ વગેરે પાડેથી શાસ્ત્ર એટલે શ્રતજ્ઞાન, તે માત્ર દેવેન્દ્ર અને નરેન્દ્રોને જ આરાધ્ય છે, પરંતુ તે સિવાય તે શ્રુતજ્ઞાન સામાન્ય મનુષ્યએ આરાધવું જોઈએ નહિ–એમ માનવા શું તૈયાર થાય?) - ૪ સમસ્ત જૈનદર્શનને અનુસરનાર જૈનવર્ગમાં મતભેદ વગર કઈપણ વ્યક્તિ માનને પાત્ર બની શકતી હોય તે તે માત્ર ભગવાન જિનેશ્વરે છે, તેથી બીજા સર્વ ધર્મસ્થાનો કરતાં ભગવાન જિનેશ્વર
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy