SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક-૨ જુ આ કથનથી માસતુષ મુનિ તેમજ તેમના સરખા બીજા મહાત્માઓને કદાચ જીવાજીવાદિ પદાર્થોનું આલેચન પૂર્વક તત્વાર્થ શ્રદ્ધાન ન હોય, તે પણ સમ્યમ્ દર્શન હવામાં કશે વિરોધ નથી. અર્થાત્ સમ્યક્દર્શન જરૂર છે, અને સાધુપણું પણ છે. પ્રશ્ન :-જ્યારે માર્ગદશનાનુસારીપણું, તેમ જ અસંગ્રહ રહિતપણું એ સમ્ય લક્ષણ છે. તે પછી અત્યાર સુધી “તાર્થઅાનં સ નં “થનાં પ્રાણાવદારશં' આ બધું સૂત્રકાર-ભાષ્યકારને કહેવાની શી જરૂર પડી ! ઉત્તર :-જ્ઞ (જાણવાળા) પુરૂષની અપેક્ષાએ જ “તરાર્થશ્રદ્ધા સાર” એ સૂત્રની રચના હોય. તેમ સંભવ છે, એટલે કે જેઓ જીવાજીવાદિ પદાર્થોને જાણતા હોય, તેવાઓને તે મૃતાદિ આચના પૂર્વક અવધારણ હોય, તે જ સમ્યગદર્શન છે. અન્યથા નથી. અને જેઓને જીવાજીવાદિ પદાર્થોનું જ્ઞાન નથી. તેવાઓ માટે ભલે કૃતાદિ આચના પૂર્વક શ્રદ્ધા ન હોય, પરંતુ માર્ગદેશનાનુસારપણું તેમ જ અસદ્ગહરહિતપણું આ બે હોય, એટલે અવશ્ય સમ્યકત્વ હોય છે. આ રીતે જ્ઞ-અને અજ્ઞ માટે જુદા જુદા લક્ષણે માનવા ઉચિત લાગે છે.. અજ્ઞ માટેનું લક્ષણ જ્ઞ--અજ્ઞ બનેમાં વ્યાપક થઈ શકે તેવું છે. પરંતુ જ્ઞ માટેનું તત્વાર્થ શ્રદ્ધાન રૂપ લક્ષણ તે વ્યક્તિઓમાં જ ઘટી શકે છે, બીજા માટે ઘટી શકે તેવું જણાતું નથી. પ્રશ્ન:-કઈ વખતે કઈ તથા પ્રકારના આત્મામાં દેશનાનુસારિત્વ તથા અસદ્ગહરહિતત્વ એ બંને જોવામાં આવતા હોય. પરંતુ ગુરૂની પરતંત્રતાને અંગે અસદ્ગહ ભાવનું શ્રદ્ધાન થતું હોય, એટલે કે કઈ બાબતમાં ગુરૂ ગ્રહી બની ગયા છે, મને યર્થ વસ્તુને અન્યથા પ્રરૂપે છે, ગુરૂના ઉપર શિષ્યને સંપૂર્ણ વિશ્વાસ હોવાથી, ગુરૂ જે પ્રમાણે કહે છે. તે પ્રમાણે
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy