SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત - “આગમ જ્યોતના પ્રારંભ કાળથી જ આ નિબંધ મંગળા ચરણરૂપે ક્રમશઃ પ્રકાશિત કરવામાં આવે છે. જેને સુજ્ઞ વિવેકી વાચકે ખૂબ જ લાભ લઈ રહ્યા છે. ] * રં, ભવ્યતાની વિચિત્રતા શાસ્ત્રકારે એમ જણાવે છે–ભવિતવ્યતાને ઘમપ્રેમીઓએ સ્થાન ન આપવું જોઈએ, એ વાત શાસ્ત્રીય વચને અને હેતુ યુક્તિથી નકકી છે. જો કે સૂફમ નિગદમાંથી પહેલ-વહેલાં જીવનું નિકળવું ભવિવ્યતાને યેગે જ થાય છે. તે રીતે અનુક્રમે બાદર નિગદમાંથી બાદર પૃથ્વી આદિમાં બેઈદ્રિયાદિ ત્રણ પ્રકારના વિકલૈંદ્રિમાં અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યામાં અનુક્રમે વધીને જીવનું આવવું, કે આગળ વધી-વધીને કે પાછા પડીને ફેર વધવું અને મનુષ્ય ભવમાં ઉત્પત્તિ થવી. આ સર્વ બનાવની જડ શાસ્ત્રકારે ભવિતવ્યતાને માને છે, જો કે શાસકારોએ ભવિતવ્યતાની સાથે તે તે કર્મના બંધને અને ઉદયને પણ સામે રાખેલ છે. અર્થાત કેઈ પણ જીવને તેવા કમને બંધ થયા સિવાય કે તેવા કર્મને ઉદય થયા સિવાય તે તે સ્થાનમાં ચઢતા જવું અગર ચઢીને પછી પડયા છતાં પણ પાછું ચઢવું, એમાંનું કંઈપણ બનેલું જણાતું નથી, એટલે ભવિતવ્યતાની સાથે કર્મની કારણુતા તે અવિચલપણે રહેલી જ છે, છતાં શાસ્ત્રકારે તે તે સ્થાનોમાં– ચડતાં કે ચડીને ઊતરીને ફેર ચડતાં કર્મને મુખ્યપણે કારણ તરીકે ન લેતાં ભવિતવ્યતાને કારણ તરીકે લે છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તે તે બાદરપણ વિગેરેના જે કર્મો સૂમ નિગોદ વિગેરેમાં બાંધ્યાં તે તેના બાંધનાર છના અભિપ્રાયને અનુસરીને નથી દેતા.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy