SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત . શું પણ સાગરોપમ સુધી શુદ્ધ તે શું પણ પરમશુદ્ધ દષ્ટિ રાખનારાઓને પણ શિવપદ મળતું નથી, એમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે. જીવનાદિ નિર્વાહ માટે પણ પાપ કરનારની દશા એટલું જ નહિ પણ જેઓ જીવનનિર્વાહ સિવાયની સંસારની સર્વ ખટપટ ચાવજ જીવને માટે છોડી દે છે વળી જીવનનિર્વાહ માટે પણ તેવી મોટી અને અધમ ખટપટ કરવાથી થાવ જજીવને માટે પરહેજ કરે છે, તેવા નશામાં ગણાતા બારવ્રત ધારણ કરનારા મહાપુરુષોને પણ શિવપદ પ્રાપ્તિને માટે લાયક ન ગણતાં માત્ર જેમાં ઉચા-નીચાપણાની સ્વામિ-સેવકપણાની વ્યવસ્થા જાળવવાની ફરજ છે, તેવા દેવલોકમાં ઉંચામાં ઉંચું સ્થાન મેળવી શકે છે એમ જણાવે છે અને તેથી જ કેટલાંએ પશુ-પંખીઓ અને જાનવરો કેઈ મહાત્માના સંજોગે કે ભવાંતરના સંસ્કારોથી ઉપર જણાવેલા સદ્વર્તનને રાખવાવાળા હોય અને મનુષ્યમાં પણ તેવું સદ્વર્તન રાખનારા હોય, તે પણ તેઓ માત્ર ઉપર જણાવેલા દેવલકને જ મેળવી શકે છે, પણ નિર્વાણપદને તેઓ પણ મેળવી શકતા જ નથી. મિક્ષના મુખ્ય માર્ગે આવવાની તૈયારીવાળાઓની સ્થિતિ એ બધા કરતાં વધારે તે એ વિચારવા જેવું છે કે જે મહા પુરુષે કુટુંબ-કબીલાને તથા વ્યાપાર-રોજગારની ખટપટને સર્વથા કરતા નથી, તેનાથી દૂર રહે છે, તેમાં ભાગ પણ લેતા નથી અને પિતાના નિવાસસ્થાનને છોડીને માત્ર સામાન્ય કુટુંબવર્ગવાળા સ્થાનમાં નિવાસ કરીને સાધુ મહાત્માઓની માફક સર્વ પ્રકારે વર્તાવ કરનારા કે જેઓ નોકર-ચાકરને દુનિયાદારીની ખટપટને આદેશ નથી કરતા એટલું જ નહિ પણ પિતે દાટેલું કે જાણેલું એવું પિતાનું ધન હોય તે પણ પિતાના સંતાનોને જણાવવામાં
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy