SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લુ ભગવાને પુત્ર તરીકે રાખ્યા અને પાલ્યા છે તે ધ્યાનમાં ન લે, તે પિતાના રાજ્યમાંથી કુમાર-ભુક્તિ એટલે ભાગ પણ આપવા તૈયાર ન થાય! છતાં ભરત મહારાજા પિતાની ઉત્તમતાને અને તે નમિ-વિનમિને પિતાને મળેલા રાજ્યમાંથી પણ રાજ્યને ભાગ આપવા તૈયાર થયા છે. છતાં નમિ અને વિનમિ કુટુંબ આદિની સ્થિતિ ધ્યાનમાં લઈ ભવિષ્યમાં કેઈપણ મનુષ્ય કેઈપણ જાતનું અપમાનકારક વચન બેલી દે કે એવું બીજું કંઈપણ કરે એવા વિચારથી તેમણે ભારત મહારાજા પાસેથી રાજ્યને ભાગ લેવાની ના પાડી. નમિ-વિનમિનું પિતા તુલ્ય દાદા પાસે ગમન અને તેમની અપૂર્વ શુશ્રષા ભગવાન ગષભદેવજીએ પિતાને પુત્ર તરીકે રાખેલા છે, માટે ભાઈ પાસેથી ભાઇના ભાગમાંથી ભાગ લેવા કરતાં પિતા તરીકે માનેલા દાદા ઋષભદેવજી પાસેથી ભાગ લે, એમ નિશ્ચય કરી ભગવાન હષભદેવજીની પાસે તે નમિ અને વિનમિ અને સરખી સલાહ કરીને આવ્યા. જે કે ભગવાન રાષભદેવજીએ સર્વરાજ્ય ઋદ્ધિનો ત્યાગ કર્યો છે અને સર્વ સાવદ્ય ત્યાગરૂપ પ્રવજ્યા અંગીકાર કરી છે, એ હકીકત તે નમિ અને વિનમિના ધ્યાનમાં પુરેપુરી હતી છતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરિજી એ અધિકારમાં જણાવે છે કે “કાતિ-જાતારિ વારિતા, વાર્તા રેલ્વે સેવા અર્થાત સ્વામી પાસે કંઈપણ વસ્તુ દેવાની છે કે નહિ, એ સેવકને વિચાર કરવાને હેય નહિ. પણ સેવકે તે સેવા જ કરવાની હોય તેમ દીક્ષિત થએલા ભગવાન ઋષભદેવજીની સેવામાં તે નમિ અને વિનમિ તૈયાર થયા, તેઓ ભગવાન ઋષભદેવજીની અપૂર્વ રીતિએ સેવા કરતા હતા.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy