SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પુસ્તક ૧-લું જતાં ત્યાં સુધી જ વળાવી શકે કે આત્માને તે ઉન્માર્ગનું ઉન્માર્ગ પણ ભાન ન હોય અને પિતાની અજ્ઞાન દશાથી ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજતો ન હોય અથવા સ્વરૂપે કરીને ઉન્માર્ગ હોય છતાં પણ વિધમીકુલમાં જન્મ થવાથી કે એવા સંસર્ગથી કે અજ્ઞાનથી તેને સન્માર્ગ ગણતે હેય. કેમકે જ્યારે જ્ઞાનની જ્યોતિ પ્રગટે ત્યારે તે અજ્ઞાન અંધકારને નાશ થાય છે, અને તેથી તે જ્ઞાનવાળે બનેલે પ્રાણ સન્માગને સન્માર્ગ તરીકે અને ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજે છે, જેથી તે સમાગને આદર કરે છે અને ઉન્માર્ગનો ત્યાગ કરે છે, છતાં સન્માર્ગ અને ઉન્માર્ગને સારી રીતે જાણનારા તથા સન્માગને આદરવામાં તથા ઉન્માર્ગને છોડવામાં જેઓ ઈચ્છા રાખે છે, છતાં તેના સંગે અને સહચારીઓ એવા હોય કે જેથી તે સન્માર્ગને માનનાર અને સન્માર્ગ આદરવાની ઈચ્છાવાળે છતાં સન્માર્ગે જઈ શકે નહિ. અને ઉન્માર્ગથી પાછા હઠવા માંગે છતાં ઉન્માર્ગથી દૂર જઈ શકે નહિ. અર્થાત શ્રદ્ધા અને જ્ઞાનના માર્ગમાં જ્ઞાન બરોબર કાર્ય કરી દે છે, પણ આદરવાના સ્થાને એકલું જ્ઞાન એટલા બધા સામર્થ્યવાળું થતું નથી, માટે તે સ્થાને સંગ અને સહચારીઓને સુધારનાર કઈ ચીજ જોઈએ અને તેવી ચીજ તે તપ છે, ઇંદ્રિય અને કષાયોને કાબુમાં રાખવાનું આત્માને જોર આપનાર કેઈ પણ હોય તે તે ત૫ છે. ભગવાનની જ્ઞાનની દશા ભગવાન જિનેશ્વરે ગર્ભથી અરે ! ગયે ભવથી તે ત્રણ જ્ઞાન ધારણ કરનારા હોય છે અને તે જ્ઞાને ભગવાનને અપ્રતિપતિતપણે એટલે કે ઈ દિવસ પણ ખસે નહિ તેવા હોય છે, એટલું જ નહિ પણ ભગવાન જિનેશ્વરને તે અતિ શુર અને અવવિ રૂપ ત્રણ જ્ઞાન ઘણું જ નિર્મળ હોય છે, તે ત્રણ જ્ઞાનની સાથે વળી જાતિ સ્મરણ જ્ઞાન પણ ભગવાન તીર્થકરોને જન્મથી અવશ્ય હોય છે, જગતના
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy