SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ભગવાન રાષભદેવજીના પ્રથમ રાજાપણામાં તો ઇંદ્રાદિક દેવેનું અદ્વિતીય સાહાચ્ય હતું, પણ ભગવાનદષભદેવજીની સાધુતામાં કોઈ પણ દેવની સાહાચ્ય હતી નહિ. કેમકે કોઈપણ તીર્થકર, કેઈપણ કાળે દેવ-દાનવ કે નરેન્દ્રની સાહાચ્ય સ્વીકારતા નથી તેથી ભગવાન ગષભદેવજીએ પણ કોઈપણ દેવ કે ઇંદ્રની સાહાસ્ય લીધી નથી. ભગવાન ઋષભદેવના સાધુપણાની વિશિષ્ટતા ભગવાન ઋષભદેવજીએ રાજ્યાદ્ધિ, કુટુંબકબીલે અને દુન્યવી સુખને ત્યાગ કર્યો. એ જો કે આ ભારતમાં પહેલવહેલે હાઈને ચમત્કાર રૂપ જ હતે, વિશેષ ચમત્કાર તે એ હતું કે ભગવાન ગષભદેવજીને દીક્ષા લીધી તે દિવસથી એક વર્ષ સુધી ભિક્ષા પામવાને પ્રસંગ જ આવ્યું નહી. અને તેથી તેઓને સંપૂર્ણ એક વર્ષ સુધી સંપૂર્ણ નિરાહારપણે જ વિચરવું પડ્યું. તે ભગવાન રાષભદેવજીનું એક વર્ષ સુધી નિરાહારપણે વિચરવું કેટલું બધું કઠિન હશે? તે આજકાલના ધાનના ધનેડા અને પાણીના પિરા કોઈ પ્રકારે કલ્પનામાં પણ લાવી શકે નહિ. પણ ખુદ ભગવાન રાષભદેવજીની સાથેના ક્ષત્રિય-લેહીને ધારણ કરનારા ઉભેગ અને રાજન્યની જાતને જે ચાર હજાર દીક્ષિત થયેલા હતા, તેઓ તે ભિક્ષાની પ્રાપ્તિના કારણથી જ વનવાસી થઈ ફલફળને આહાર કરનારા થયા, અર્થાત્ તેઓ પણ ક્ષત્રિયવટને અનુસરીને લીધેલી સાધુતાને ટકાવી શક્યા નહિ, આવી નિરાહારપણાવાળી સાધુતા. ભગવાન ઋષભદેવજી મહારાજે એક વર્ષ સુધી નિભાવી. ઈદ્રમહારાજા દક્ષાની વિધિથી અજાણ હતા કે શું? ભગવાન ઋષભદેવજીની વખતે કેઈપણ ભિક્ષાચર રોટલાની ભીખ માંગતે ન હતું, તેમજ લેકે પણ ધન-ધાન્ય, કણ-કચનની અદ્ધિથી સંપૂર્ણ સમૃદ્ધ હેઈ મનુષ્ય રોટલા ને કે ખોરાકને ભિક્ષુક
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy