SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ “પુસ્તક ૧-૪ હતી? તેમજ તેવી રીતે વિભાગ કરવામાં ભગવાનનું પરહિતપણું કેટલું હતું? તે ઉપર જણાવાઈ ગયું. આ ઉપર જણાવેલ વિભાગ ભગવાન શ્રી રાષભદેવજીની દીક્ષા પહેલાં થઈ ગયેલું હોવાથી જ ભગવાને દીક્ષા ગ્રહણ કરી તે વખતે જે ચાર હજાર મનુષ્યએ ભગવાનની સાથે દીક્ષા લીધી છે વખતે એમ જ જણાવવામાં આવ્યું કે ઉગ્ર બેગ રાજન્ય અને ક્ષત્રિય જાતિના ચાર હજાર મનુષ્ય સાથે ભમવાનું શીષભદેવજીએ દીક્ષા ગ્રહણ કરેલી છે. જેવી રીતે ભગવાન શ્રી ઋષભદેવજીની દીક્ષાને અંગે ઉગ્ર આદિ જાતિને ઉલ્લેખ છે તેવી જ રીતે શ્રી ભગવતીજી, રાયપરાણજી અને ઉવવાઈ સૂત્ર સરખા ભગવાન મહાવીર મહારાજ આદિના સમવસરણના ઉલેખવાળા શાસ્ત્રોમાં પણ ૩ri samjત્તા મોજા પુત્તા આદિ ઉલલેખે સ્પષ્ટ પણે છે તેમજ શ્રી પર્યુષક ૫ સરખા પર્વાધિરાજ પવિત્ર દિવસના પવિત્ર વાચનવાળા શાસ્ત્રોના પણ ઉગ્ર આદિ કુને ઉત્તમ કુલ તરીકે સ્પષ્ટપણે જણાવેલ છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે ઉગ્રાદિકુ અને તેની ઉત્તમતા ભગવાન્ સાહાવીર મહારાજના વખત સુધી ચાલેલી જ છે. " ભગવાન શ્રી ઋષભદેવજીએ રાજ્યકાલમાં નીતિના રક્ષણ અને અનીતિના બચાવ માટે જેમ ઉગ્ર–ભેગ આદિ જાતિઓની સ્થાપના કરી તેવી જ રીતે તેઓએ જ પિતાના રાજ્યકાલમાં જ પ્રજાના હિતને માટે સે શિલપેન અને કર્મોને ઉપદેશ કરેલો છે અને શ્રી જંબદ્વીપપ્રજ્ઞપ્તિ, પર્યુષણકપ અને શ્રી સમવાયાંગજી વગેરે સૂત્રે સ્પષ્ટપણે જણાવે છે, અર્થાત્ ભગવાન શ્રી ષભદેવજીએ જેમ ઉગ્રાદિ ક્ષત્રિય જાતિની સ્થાપના કરી તેમજ શિલ્પ અને કર્મથી આજીવિકા કરનારાઓની જાતિ પણ સ્થાપન કરેલી છે.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy