SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજયોત ઉપર જણાવેલી ૧ જીવની અસ્તિતા. ૨ જીવની નિત્યતા. ૩ જીવનું કર્મને અંગે કત્વ. ૪ જીવનું કરેલા કર્મને અંગે ભકતૃત્વ. ૫ સમસ્ત કમના ક્ષયરૂપ મેક્ષ અને તે દ્વારા સર્વથા અને સર્વદા આત્માને નિર્ભય અને સંપૂર્ણ આબાદીની પ્રાપ્તિરૂપ મોક્ષની હયાતી તેમજ ૬ સમ્યગ્દર્શનાદિરૂપી ક્રમે પ્રાપ્ત થવારૂપ મોક્ષમાર્ગ અને આશ્રવનિરોધ સંપૂર્ણ સંવર, સંપૂર્ણ નિજ રારૂપ મેક્ષના ઉપાયનું અસ્તિત્વ અને શકયતાની માન્યતા. આ છ વસ્તુઓને માનનારો વર્ગ કેત્તર દષ્ટિએ એટલે પરમાર્થ દષ્ટિએ આસ્તિક છે, એમ ગણી શકાય! ઉપર જણાવેલ છે વાતેમાંથી એક પણ વાતની અગર તેમના કોઈપણ અંશની અશ્રદ્ધાને ધરાવનાર વર્ગ પરમાર્થ કે કેત્તર દષ્ટિએ આસ્તિક છે એમ કહી શકાય જ નહિ. માટે મેક્ષના અભિલાષી સર્વજને ઉપર જણાવેલી પરમાર્થ દષ્ટિની અર્થાત્ લેકે રરરીતિની છ આસ્તિતા ધરાવવા માટે તથા તેને પિષવા માટે તેમજ તેની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવા માટે પ્રતિક્ષણ ઉદ્યમવાળા થવું જ જોઈએ. આ લેખ અને તેને ભાવાર્થ વિચારીને જૈન ઉપનામ ધારીના પ્રખ્યાત થતી સંસ્થાઓ-સમિતિએ સંઘમંડળે વિગેરે સાચી આસ્તિકતાને ધારણ કરવા કટિબદ્ધ થશે તો જરૂર અવિચ્છિન અને ત્રિકલાખાધિત શ્રી, જૈનશાસનને અનુસરનારા વર્ગમાં ગ્યસ્થાનને પામશે. એ સિવાય મોહમયીને મોભામાં કે નિંગાળાની ગાડીમાં કે ભાવનગરની ખાડીમાં કે કેઈપણ જગે મુસાફરી કરવામાં આવે તે પણ કેર માર્ગને માન્ય તરીકે જાહેર કર્યા સિવાય કોત્તર માગને અનુસરનારાઓમાં તે સ્થાન પામી શકાય નહિં. દેવદ્રવ્ય ખાવા અને ઉડાવવાની ધગશવાળા, પુનર્લગ્નની લગનમાં લીન થયેલા અને દીક્ષા જેવા ભાગવત માર્ગના વિધિઓને તે લકત્તર માર્ગને અનુસરનારે વર્ગ ઝેરી નાગથી કોઈપણ પ્રકારે ઓછા રૂપમાં દેખાશે નહિ. માટે આ નિબંધ વાંચી વિચારી હિતબુદ્ધિ ધારીને દરેક જેનેએ પ્રવર્તાવાની જરુર છે.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy