SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યોત દૂર થઈ શકતી નથી. એ કુપને નિરંતર આદર કરવામાંથી મન હજુ દૂર થતું નથી. માણસ જ્ઞાન, ધ્યાનમાં આનંદ જરૂર માને છે, પરંતુ એ આનંદ એટલે મજબુત નથી કે કે જેથી એ કુપગ્યસેવનના આનંદ કરતાં વધી જાય. જ્યારે એ કુપથ્થસેવનની અભિરૂચિના સ્થાન પર જ્ઞાનાદિકની અભિરૂચિ જાગે ત્યારે સમજવું કે આપણે જનશાસનને સાચે લાભ મેળવ્યા છે અને સાચી તત્ત્વદૃષ્ટિનું દર્શન કર્યું છે. સામાયિકને મર્મ શાસકાર મહારાજે જ્ઞાનાદિ–સામાયિક આદિ કરવાનું ફરમાવ્યું છે, તે કઈ દષ્ટિએ? એટલા જ માટે કે ધીમે ધીમે આપણા આત્માને કેળવીને આપણે એ કુપથી અળગા થઈએ ! ત્યારે આપણે અત્યારે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ તે એથી જુદા જ પ્રકારની છે. પહેલાં આપણું આહારાદિક બરાબર સચવાય અને ત્યારબાદ જ્ઞાનાદિક-સામાયક આદિ કરાય ! આ સ્થિતિ-સાધુ છે કે શ્રાવક હા-દરેકમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. અનુકૂળ ભજન વિગેરેની સગવડ ન મળતાં શરીરની જે સ્થિતિ થાય છે એવી જ સ્થિતિ કદીક જ્ઞાનદિકના સાધને ન મળતા થાય છે ખરી કે? સમજે કે –તમે મુસાફરીએ નીકળ્યા. એક જંગલમાં જઈ ચડ્યા ભૂલા પડ્યા. એકલા છે. બરાબર મધ્યાહનને સમય છે. સૂર્ય નારાયણ માથા ઉપર તપી રહ્યો છે. સવારનું કંઈપણ ખાવા મળ્યું નથી. આસપાસમાં કોઈ ગામ કે ઝૂંપડું દેખાતું નથી અને ભેજન માટે જરાપણ સંભવ દેખાતું નથી. એવી કફોડી સ્થિતિના વખતે તમારા શરીર ઉપર જે અસર થાય અને મનની ઉપર જે દુઃખની લાગણીઓ ઘેરાઈ આવે એ દુઃખને એક પલામાં મૂકી અને બીજી તરફ–સમજે કે તમે રોજ સમ્યગ-દર્શન-જ્ઞાન-ચારિત્ર્યનું કંઈપણ કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે –ામિ મને ! સામાાં ના પવિત્ર શબ્દ ઉચારીને સમ્યગદર્શનાદિકના કારણ-સ્વરૂપ અને ફળરૂપ કાર્યો કરવાની ઈચ્છાપૂર્વકની પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞા
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy