SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજાત તે થતું જ નથી, પરંતુ પિતે અધર્મના કાર્યોને છેડનાર હેય અગર ન હોય તે પણ પિતાને માટે અધમી એ શબ્દ વપરાય ત્યારે તે જરૂર નાખુશ થાય છે, એટલું જ નહીં પણ તે એક અંશે પણ ખુશી થતું નથી. એટલે કહેવું જોઈએ કે જગતના જીવને સામાન્ય રીતે ધર્મ એ ઈષ્ટવસ્તુ છે, અને અધર્મ એ અનિષ્ટ વસ્તુ છે. જગતમાં એ વ્યવહાર સર્વત્ર દેખવામાં આવે છે કે જે વસ્તુ જે મનુષ્યને ઈષ્ટ હેય છે તે મનુષ્યને તે વસ્તુના લાભને બતાવનારા જ શબ્દો પણ આનંદ ઉપજાવનારા થાય છે. તથા જે વસ્તુ જેને અનિષ્ઠ હેય તે વસ્તુના સંબંધને જાણવનારા જુઠા શબ્દો પણ અફસેસ કરાવનારા કે દુઃખ કરાવનારા થાય છે. જગતમાં ધનવૃદ્ધિ, આયુષ્યવૃદ્ધિ, પુત્રલાભ, અર્થલાભ વિગેરેના વાક્યો આશીર્વાદ દેનારાના કહ્યા પ્રમાણે ફલીભૂત થાય છે, એ નિયમ નથી, છતાં તે આશીર્વાદના વાક્યો સાંભળતાં સર્વ સુજ્ઞમનુષ્ય ખુશ થાય છે, કેઈપણ નાખુશ થતું નથી અને નિઃસંતાન પણું, દરિદ્રપણું, કેડીયાપણું યાવતું મરણ પામવાપણું કહેનારા દુજનેના વાક્યથી કોઈપણ પ્રકારે તે તે નિઃસંતાનપણું વિગેરે પ્રાપ્ત થઈ જતું નથી, છતાં તેવા અધમ શબ્દ બોલનાર અધમ મનુષ્ય તરફ કેઈપણ પ્રકારે મનુષ્યને રૂચિ થતી હોય તેમ દેખાતું નથી. એટલું જ નહિ, પરંતુ મધ્યસ્થ મનુષ્યા તરફથી પણ એવા અધમ વાક્ય બોલનાર અને ફીટકાર મળે છે, અગર દુષ્ટતાવાળા ગણવામાં આવે છે. આ વાત વિચારતાં પણ માલુમ પડશે કે ઈષ્ટપણે ગણાયેલી વસ્તુના સગને જણાવનારે અસત્ય શબ્દ પણ પ્રીતિ અને અનિષ્ટ તરીકે ગણુયેલી વસ્તુના સંચાગને જણાવનારે જો શબ્દ પણ અપ્રીતિ કરાવનાર છે. આ સ્થિતિએ
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy