SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-પ. પુ-૧ જિનેશ્વર ભગવાનને પદ્મણિ પહેલાં પણ સમકિત ફાયિક જેવું હેય. આવા જ કેઈ કારણસર ભગવાન મહાવીર મહારાજના સાધુપણું લેવાની પહેલાં કે કેવળજ્ઞાન થવાની પહેલાંના સમ્યકત્વને અંગે ભગવાન હરિભદ્રસૂરિજી લાચિનાઈ ક્ષાવિમેવ વા એવા વિકલ્પવાળા વ્યાખ્યાનમાં ક્ષાશિક સમ્યકત્વ હોય તે પણ તેની શુદ્ધતાને અને ક્ષાયિક જેવું સમ્યક્ત્વ માનવાનું શ્રીવાર્થની ટીકામાં કહે છે. આ ઉપરથી તીર્થકર મહારાજના જે કેવળજ્ઞાનને માટે મંડાતી ક્ષપકશ્રેણિની પહેલાં પણ ક્ષાયિકવાળા ન હોય તે પણ ક્ષાયિક જેવા શુદ્ધ સમ્યક્ત્વવાળા હોવાથી કેવી શુદ્ધ આત્મપરિણતિને ધારણ કરવાવાળા હશે ? તે સહેજે સમજી શકાશે. આ રીતે જેઓ દેવ, દેવેન્દ્ર કે નરેન્દ્રપણની સમૃદ્ધિમાં આસક્તા ન થાય, તેવા ત્રિલેકનાથ તીર્થકર ભગવાનેને વિવાહધર્માદિકની અંદર અનુબંધ સાવદ્યપણું હેય નહિ અને તેથી તે મહાપુરુષે તેવી રીતે લેકે પકાર કરવા દ્વારા પરહિત કરનારા થાય તેમાં આશ્ચર્ય નથી. આમાં ભગવાનનું અનુકરણ ન લેવાનું કારણ પણ એ તીર્થકર મહારાજના પ્રવર્તન અને નિરૂપણને અનુસરીને જે અન્ય તેવા પ્રકારની નિશ્ચિત પરિણતિ સિવાયના છે લગ્ન, વ્યાપાર, ખેતી વિગેરે સંસારની ક્રિયામાં પ્રવર્તે અને તેને પરહિતની પ્રવૃત્તિ છે એમ ગણાવે છે તે ખરેખર માગને ભૂલે છે અને હંસની સ્થિતિને નહિ વિચારનારે વાયસ જેમ માનસ સરોવરમાં તરવા જતાં ડૂબી જાય, તેવી રીતે ભગવાન તીર્થકરોની સ્થિતિને વિચાર્યા સિવાય માત્ર પિતાની સ્થિતિને હલકી છતાં પણ મેટા રૂપમાં ગણ દઈ તેમની માફક કહેવાતા સ્વરૂપથી સાવદ્ય અને અનુબંધથી પણ સાવદ્ય એવા કાર્યોમાં પ્રવૃત્તિ કરી અન્યનું હિત મનાવવા જાય તે કેઈ પણ પ્રકારે શોભે તેમ નથી.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy