SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જ્યોત ગામના આખા સંઘની રજા મેળવે તેજ ચોથું વ્રત પણ લઈ શકે. આ તેમનું ઉન્માર્ગે વધવું કેવી વિષયાન્યતા અને અધર્મરસિકતા સૂચવે છે? તે પાપભીરુઓને સહેજે સમજાય તેમ છે. પ્રભુ મહાવીરના અભિગ્રહને મમ જોકે ધર્મપ્રેમીઓ શામાનુસારે માન્યતા ધરાવનાર હોઈ તેવા વિષયવિચારના વમળમાં વહી રહેલાના વિચારે વ્યર્થ જ જાય છે, પણ વર્તનમાં કે વ્યવહારમાં મેલી શકાતા જ નથી. શ્રમણ ભગવાન મહાવીર મહારાજે સ્નાન કરવું નહિ. બ્રહ્મચર્ય પાળવું એ બે નિયમોની સાથે ત્રીજો એ પણ નિયમ રાખે છે કે જેમ વર્તમાનમાં ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકે અચિત્ત પદાર્થને આહાર કરવા સાથે જલ પણ અચિત્ત જ વાપરે છે, તેવી રીતે ભગવાને પણ તે અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પછી સચિત્ત જલ બંધ કરીને અચિત્ત જલ જ વાપરવાનું નિયમન કર્યું. સામાન્ય રીતે અચિત્ત જલ વાપરવામાં એટલી બધી અધિકતા ન માલમ પડે, પણ રાજકુંટુંબ અને રાજપર્ષદા તરફ વિચાર કરીએ તે સચિત્તને સર્વથા ત્યાગ અને અચિત જલના પાનને નિયમ કેટલી બધી મુશ્કેલી ભરેલું છે તે સમજી શકાય. એ ત્રણ નિયમેની સાથે અધિક કહીએ તે ચાલે એ થે નિયમ એ કર્યો કે મારે નિમિત્તે કેઈએ કાંઈપણ રાઈ કરવી નહિ, અર્થાત જે આધાકમ કે દેશિક આહારપાણી અન્યતીથી સાધુને છેડવાં અસંભવિત છે અને જૈનશાસન કે જે નવકેટિથી શુદ્ધ એવા આહારને લેવા ફરમાવે છે, તેવા જિનશાસનને માનનારા અને ગામે ગામ વિચરનારા એવા શ્રમણ નિગ્રંથેથી નિરપવાદ તરીકે પાળી શકાતું નથી, તેવો નિયમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા રાજકુટુંબમાં અને રાજપર્ષદમાં વસતા છતાં વર્ષો સુધી પાળે એ કેટલું બધું આકરું ગણાય?
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy