SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ ચેત મળીને શાસથી કે કાયદાથી દાદ ન મળી શકે તેવા ના બહાનાથી દીક્ષા રોકવા માટે ઉદ્દામ પ્રયત્નો મુદામ રીતિએ કરે છે, પણ તે યુવકેને આ યુગના ઇતિહાસે ચકખા રૂપે જણાવી દીધું છે કે તેમના તેવા તે પ્રયત્ન માત્ર દીક્ષાર્થીને કે તેને સહાયક કે અનુમદિકેને કઈક કોઈક જગો પર કથંચિત્ અંશે હેરાનગતિ કરનારા થયા છે, પણ બાળકની કે પરણેલા એવા પુરૂષની દીક્ષા રેકવાને માટે કેઈપણ રીતે તેઓ સંમત થઈ શક્યા નથી. જેકે દીક્ષાર્થીઓને કુટુંબીઓ તરફથી તેમજ યુવકે તરફથી જે પીડાઓ અને અનર્થો દીક્ષા રેકવાને માટે કરવામાં આવ્યા છે, તે અતિશક્તિથી નહિ પણ સ્વાભાવિક રીતિએ આલેખવામાં આવે તો ઓછામાં ઓછું પચાસ ફર્મોનું પુસ્તક થઈ જાય. આ વાત જણાવવાની એટલા માટે જરૂર છે કે આરંભ પરિગ્રહ, વિષય અને કષાયમાં રક્ત રહેલા અને તેમાંથી વિરક્ત થવાને મથતા એવા મહાપુરુષને વૈરાગ્યમાં અંતરાય કરી, તે આરંભાદિકમાં રક્ત કરી વૈરાગ્યમાર્ગથી પાડવા માગતા મનુષ્યની પાપવાસનાની ત્રુટિ તરફ લક્ષ્ય આપી, દીક્ષાવિરોધી અને તત્વથી શાસનવિરોધી લેકે દ્રવ્યના ઝરા વહેવડાવે છે, તેઓને વસ્તુસ્થિતિનો વિચાર કરવાને માટે અવકાશ મળે. દીક્ષાર્થીની દયાની અક્ષયતા આ સ્થળે આ વાત પણ સ્પષ્ટ કહી દેવાની જરૂર છે કે દિક્ષાથી મહાપુરૂષ પિતાના વૈરાગ્યમાર્ગની સિદ્ધિ થાય કે ન થાય તેમાં પણ સંસારીસંબંધીઓને અશે પણ હેરાન કરતું નથી, અને હેરાન કરવાની લેશે પણ ઈચ્છા ધરાવતું નથી, પણ મેહમદિરામાં મસ્ત બનેલા કુટુંબીઓ તે પિતાની પાપમય વાસનાને પ્રવતી રાખવા કેપિષવા માટે તે વૈરાગી મહાત્મા ઉપર સિતમ વર્ષાવવામાં કંઈપણ કમી રાખતા નથી, અને તેથી જ તે લોકેએ ખુલ્લી કહેવત રાખી છે કે, “જમને દેવાય પણ જતિને ન દેવાય.'
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy