SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-, -૧ મહાવીર મહારાજની દીક્ષા થવાની જ નહતી, તે પછી માતપિતાની હયાતી સુધી દીક્ષા નહિ લેવાને કરેલે અભિગ્રહ અસ્થાને જ ગણત. જગતમાં જેમ પુત્રીને વારસો આપવા વીલ કરવું પડે અને તેથી જગતને રિવાજ સાબીત થાય કે પુત્રીને રીતસર વારસાઈ હક નથી, તેવી રીતે અહીં પણ ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની હયાતિ સુધી દીક્ષા નહિ લેવાને કરેલ અભિગ્રહ બુદ્ધિમાનેને સ્પષ્ટપણે જણાવી દે છે કે ગ્ય અવસ્થાએ માતાપિતાની રજાની દીક્ષા માં જરૂર જ હોય એમ નથી. ગર્ભાવસ્થાના અભિગ્રહ પહેલાં દીક્ષાકાલને જાણવા નહિ કરેલ ઉપગ વળી કેઈપણ ગ્રંથકાર કે ટીકાકાર ગર્ભ અવસ્થાની વખતે અભિગ્રહ કરવા પહેલાં અવધિજ્ઞાનને ઉપયોગ મે હતું અને પિતાના માતપિતા કાળધર્મ પછીજ દીક્ષા થવાનું જાણ્યું હતું અને તેવું જાણ્યા પછી જ માતપિતાની હયાતિ સુધી રીક્ષા ન લઉં એ અભિગ્રહ કર્યો છે એમ કહેલું જ નથી. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નંદિવર્ધનજીની વિનંતિના સ્વીકાર વખતે અવધિજ્ઞાનને ઉપગ મૂલ્ય છે, પણ ગર્ભ અવસ્થાના અભિગ્રહ વખતે અવધિજ્ઞાનના ઉપયોગથી જાણવાનો પ્રયત્ન કર્યો નથી. આ બધી હકીક્ત બારીકીથી જેનારને સ્પષ્ટ માલમ પડશે કે દીક્ષાથીને રેવાનું કે રોકાવાનું ભગવાન મહાવીર મહારાજના દૃષ્ટાંતથી કહેવું કે કરવું તે કેઈપણ પ્રકારે પ્ય નથી. ભગવાન હરિભદ્રસૂરિજીના અષ્ટકનું સમર્થન જે કે ભગવાન હરિભદ્રસૂરિજી માતપિતાની સેવાને પરમ મંગલ ગણી દીક્ષાર્થીને પરમ પૂજ્ય એવા માતપિતાના ઉદ્દેશને ટાળવાને માટે જણાવે છે, પણ તેજ હરિભદ્રસૂરિજી પંચવતુ વિગેરેમાં દીક્ષાથીના કુટુંબના આનંદ, શેક વિગેરેને સદ્ભાવ જણાવી તે થાય તે પણ દીક્ષાનું ગ્રાહ્યપણું જણાવે છે.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy