________________
વર્ષ-૫, ૫-૧
કદાચ અન્ય સાધુ મહાત્મા વૈરાગ્ય દશામાં આવેલા હોય અને તેઓ કુટુંબને ત્યાગ કરે તે વખતે વૈરાગ્ય ધર્મની મુખ્યતા ગણી લૌકિક ધર્મની ગૌણતા ગણવાથી કુટુંબની કાકલુદી તરફ ધ્યાન ન આપે, પણ જગતના હિતને માટે જ જેને અવતાર છે. અને જેઓ જગતના દ્રવ્યદુખ અને ભાવદુઃખ બંને પ્રકારના દુઃખોથી રહિત કરવાને માટે મથવાવાળા છે, તેવા રિલેકનાથ તીર્થંકર ભગવાન કુટુંબની કાકલુદી ઉપર ધ્યાન આપે તે અનાવશ્યક તે નહિજ ગણાય, અને તેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે મહારાજા નંદિવર્ધનની વિનંતિ ઉપર અને કુટુંબની કાકલુદી ઉપર જરૂરી ધ્યાન આપ્યું. ભગવાન મહાવીરની ગર્ભથીજ દીક્ષાની દયેયતા
પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને આત્મા મિક્ષ પ્રાપ્તિના અવ્યાહત સાધન તરીકે પ્રવજ્યાનેજ ગણતું હતું, અને તે ગણતરી તેમની આ વખતેજ હતી એમ નહિ, પણ ગર્ભમાં હતા ત્યારે પણ માતાપિતાના સ્નેહના પ્રકર્ષના પ્રસંગે પણ પ્રવજ્યાની પતિપત્નિ કરવાનું શ્રેયજ તેમના હૃદયમાં રમી રહ્યું હતું, અને તેથીજ કહી શકીએ કે દુનિયાદારીની અવનવી વસ્તુના કે અવનવા પ્રસંગના વિષયમાં અભિગ્રહ નહિ કરતાં પ્રવજ્યાના વિષયમાંજ અભિગ્રહ ગ્રહણ કર્યો, તેમાં પણ પ્રવજ્યાને ગ્રહણને મુખ્ય તરીકે રાખી “માતાપિતાના જીવન સુધી મારે સાધુ પણું નહિ લેવું” એ અભિગ્રહ કર્યો, અર્થાત એ ઉપરથી પણ સાધુપણાની પ્રાપ્તિનું ધ્યેય ભગવાન મહાવીર મહારાજને ગર્ભથીજ હતું એમ ચેકબું જણાઈ આવે છે. ગ્રહાવસ્થાની મુદતને માર્મિક પ્રશ્ન
અત્યારે મહારાજા નંદિવર્ધનની વિનંતિ અને કુટુંબની કાકલુદીને લીધે પણ શ્રમણપણાના ધ્યેયને મુખ્ય રાખી જેમ શાસ્ત્રોમાં વિધિથી પ્રાપ્ત થયા પછી જ નિષેધથી પ્રતિષેધ કરવાનું હોય