SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ વર્ષ–૨ પુ-૩ માદિ પાલન શા માટે? એ પ્રશ્ન એ છે કે શમાદિનું પાલન શા માટે કરવામાં આવે છે? ધર્મ ઉપર રાગ રાખ તે પણ શા માટે? ધર્મ શ્રવણની ઈચ્છા, વૈયાવચ્ચને નિયમ તથા શુદ્ધદેવાદિને માનવા એ સઘળું શા માટે છે? આપણે બજારમાં જઈએ છીએ ત્યાં માલ વેચાતે દેખીએ છીએ. તે વેચાણના ચેપડા લખાતા દેખીએ છીએ. લેવડદેવડ થતી દેખીએ છીએ. એ સઘળું શા માટે થાય છે? તે વિચારતાં માલમ પડે છે કે એ સઘળું નકે મેળવવા માટે અને નફાની આશાએ થાય છે. બજારમાં થતી લેવડ-દેવડ તે રૂપીયા આપવા-લેવાના મુદ્દાથી થતી જ નથી. ચેપડા લખાય છે તે પણ ચેપડા લખવાના જ મુદ્દાથી લખાતા નથી પરંતુ આ સઘળું થાય છે તે એકજ મુદ્દાઓ થાય છે. કે ત્યાં કમાણીને હેતુ છે. ત્યાં ખરી દષ્ટિ કમાણી ઉપર રહેલી છે અને તેના ઉપરજ આખે વ્યવહાર ચાલી રહેલા હોય છે. જેમ બજારમાં થતાં સઘળાં કાર્યોને પૃથફ પૃથફ કાંઈ સ્થાનિક હેતુ નથી તેજ પ્રમાણે અહીં સમાદિ પાંચ શુશ્રુષાદિ કાર્યો પણ તેના સ્થાનિક હેતુરૂપ ગણવાનાં નથી. ધર્મક્રિયાઓ શા માટે? ધર્મ સાંભળવું જ જોઈએ એ મુદ્દાએ ધર્મ શ્રવણ કરવાનું નથી. ધર્મ પર રાગ રાખવા માટે જ ધર્મ ઉપર રાગ રાખવામાં આવતું નથી. ગુરૂ અને દેવના વૈયાવચ્ચ કરવાના ઇરાદે જ ગુરૂ અને દેવનું વૈયાવચ્ચ કરવાનું નથી. તે જ પ્રમાણે શુદ્ધદેવાદિકને પૂજવા જ જોઈએ એ મુદ્દાએ શુદ્ધદેવાદિકને પૂજવાના નથી. પરંતુ તે બધું કરવામાં કાંઈક બીજો જ મુદ્દો રહે છે, એ મુદ્દા શું છે તે સમજે. બજારમાં માલની જે લેવડદેવડ થાય છે, તેમાં લેવડદેવડ કરવી જોઇએ એ જ હેતુ હોય તે તે પાંચ પૈસાની ટેપીના પાંચ રૂપીઆ લેવાને કોઈ તૈયાર થાય તે પણ તમને વાંધો નજ
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy