SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આગમ ચેત આવશ્યકનિક્તિ, વિશેષાવશ્યક, અનુગદ્વાર અને ભગવતીજીની ચઉભંગી આ બધું જ્ઞાન અને ક્રિયા એ ઉભય પક્ષની વક્તવ્યતાને આભારી છે. - આવી રીતે જ્યારે જ્ઞાનની ક્રિયાની સાથે જરૂર ગણાવાય ત્યારે જ્ઞાનને ક્રિયાના કારણ તરીકે જ ગણાવાય અને તેથી તે જ્ઞાનને ચક્ષુની ઉપમા દેવામાં આવે, તેમાં કઈ પણ નવાઈ નથી અને જ્યારે જ્ઞાનને ચક્ષુની ઉપમા આપી ત્યારે આચાર એટલે ક્રિયાને દેડવાની ઉપમા દેવામાં આવી. સમ્યગ્દર્શનની જણાવાયેલી જરૂરીયાત જીવાજીવના બેધને માટે જેમ જ્ઞાનની જરૂરીયાત સ્વીકારાઈ તેમજ જીવાજીવના સ્વરૂપના નિશ્ચય માટે તેમજ ધર્માસ્તિકાયાદિક અજીવ અને નિગદ વનસ્પતિ આદિ ના સ્વરૂપને સાંભળ્યા છતાં પણ તેના નિશ્ચિતપણા માટે સમ્યગ્દર્શનની સિદ્ધિ માનવાની જરૂર રહી જ. વળી જીવાજીવાદિકના સ્વરૂપને જાણ્યા પછી પણ આશ્રવાદિની હેયતાને તથા સંવરાદિની ઉપાદેયતાને નિશ્ચય કરવા સાથે આવ્યા બધપદનું જ કેવલ સાધ્યપણું નક્કી કરવું, તે પણ સમ્યગ્દર્શનની સ્થિતિને જ આભારી હતું. અર્થાત અપુનબંધકપણાની પ્રાપ્તિથી શુકૂલપાક્ષિકપણુથી પણ આત્માના અવ્યાબાધપદને માન્યું હતું. તેની ઈચ્છા પણ કરી હતી. અને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કર્યું હતું, પણ તે બધે ઉદ્યમ પણ” શબ્દની પિલાણવાળે હતે. તેથી થતોડવુવિરતિદિર એ ધર્મના લક્ષણને જણાવનાર સૂત્રથી ઐહિક અને પારિત્રિક સુખને પણ મોક્ષના સુખની સાથે સાધ્ય તરીકે ગણતું હતું, પણ જ્યારે સમ્યગ્દર્શનની જીવને
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy