SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪-૫, ૧ સામાન્ય ગુણવાળા કે અવગુણવાળા પુત્રને કઈ દીક્ષાની રજા આપે નહિ, તે પછી ભગવાન મહાવીર મહારાજા સરખા પુણ્યનાઅખૂટ ભંડાર, જેને ગર્ભમાં આવવાની વખતે તેમના ગુણનિધાનપણને સૂચવનાર એવાં ચૌદ સ્વપને જેમની માતાએ દેખ્યાં હતાં, જેમના જન્મવાની વખતેજ ઇદ્રોએ મેરુ પર્વત ઉપર અભિષેક કર્યો હતું, અને દેવતાઓએ તે જન્મસ્થાનની ચારે બાજુ રત્ન, સુવર્ણ અને રજતઆદિની વૃષ્ટિઓ કરી હતી, એટલું જ નહિ પણ ખુદ ભગવાન મહાવીર મહારાજને અંગે તે ગર્ભમાં તેઓએ કરેલી નિશ્ચળતાને અંગે ત્રિશલામાતાનો અને સિદ્ધાર્થ મહારાજા વગેરે આખા રાજકુટુંબને શોક દર્શાવનાર પ્રસંગ જેમાં સારી રીતે જાણીતું છે, તે ઉપરથી તથા ભગવાન મહાવીર મહારાજા ગલ માં હેવાને લીધે થએલા અનુપમ ઉત્તમ મને રથ અને તેની પૂર્તિની હકીકત સાંભળવા ઉપરથી તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ઉપર ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજાને તેમને પુણ્ય પ્રાગક્ષાર સમજીને કે હદ બહારને સ્નેહ હોય? તે કલ્પનામાં લાવ પણ મુશ્કેલ છે! એવા સનેહવાળા માતાપિતા ભગવાન મહાવીર મહારાજને દીક્ષાની રજા આપે એ સ્વપ્ન પણ માની શકાય તેમ નથી, અને જ્યારે માતાપિતાની રજા સિવાય શાસ્ત્ર કે ન્યાયની દષ્ટિએ દીક્ષા બનતી જ ન હોય, તે પછી શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજની હયાતિમાં દીક્ષા લેવાને પ્રસંગજ ઉભું થવો સંભવિત નથી. શમણુ ભગવાન મહાવીર મહારાજના દીક્ષાના અભિગ્રહથી જ રજાની બિનજરૂરી છે 'એટલે જેઓ માતપિતાની રજા સિવાય કંઈપણ ઉંમરે દીક્ષા બની શકે જ નહિ એવું માનનારા હેય, તેઓની અપેક્ષાએ તે શમણું ભગવાન મહાવીર મહારાજને આ અભિગ્રહ વ્યથજી ગણાય, પણ શાસ્ત્ર અને ન્યાયની દષ્ટિએ સેળ કે અઢાર વર્ષની ઉમર થયા પછી પુત્ર કે પુત્રી સ્વતંત્ર છે, અને તેથી તેવાના
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy