SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નાન વગર તેર જરૂરી છે વર્ષ૪-૫.૩ ૧૭૫ ઉપકાર માટે, ધર્મોપદેશ દેતાં થકાં જણાવે છે કે ધર્મ એ જીવન ધન-શરીર-કુટુંબાદિકના ભેગે પણ આદરણીય અને જરૂરી ચીજ છે. શું બીનજરૂરી ચીજ જ ધર્મ? શિષ્યશંકા-શ્રવણ કરનાર શિષ્યશંકા કરે છે કે હે ભગવંત! આપ તે ધર્મને અગ્રપદ આપે છે અને ધર્મને જીવન-ધન–શરીર કુટુંબાદિકના ભેગે આદરવાને જણાવે છે, પરંતુ તે ધર્મની જરૂરીયાત જ શી? કેમકે તે ધર્મ વગર કંઈપણ અટકતું નથી. અનાજ વગર ભૂખે મરાય, પાણી વગર તૃષાથી તરફડાય, કપડા વગર શીતાદિકષ્ટથી હેરાન થવાય અને મકાન વગર શાંતિ અને આરામ ન અનુભવાય એટલે તે જરૂરી ગણાય, પણ ધર્મ ન હોય તે હરકત શી? અર્થાત તેની જરૂરીઆત શી રીતે ગણવી! વળી જો કે ધન એ ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાના ખપમાં ન આવે, પણ એ ધનથી દુનિયાભરની દરેક વસ્તુ ખરીદી શકાય છે, મેળવી શકાય છે, તેમજ તે દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકાય છે તે આવવાથી ફાયદો કરનાર હોવાથી પણ જરૂરી ગણાય, પરંતુ ધર્મ નહિ આવવાથી નુકશાન નથી તેમ એકના આવવાથી ફાયદો પણ દેખાતું નથી. એક મનુષ્ય ધર્મ કર્યો અને બીજાએ ધર્મ ન કર્યો, કરનારને નફે થયે અને નહિ કરનારને નુકશાન થયું એમ કાંઈ દષ્ટિગોચર થતું નથી. જરૂરી તેજ ગણાય કે “જેના ન આવવાથી અડચણ હોય અથવા આવવાથી ફાયદો હેય” અર્થાત એ ઉપરથી જગતમાં બિનજરૂરી ચીજ ધર્મ છે એમ નક્કી થાય છે. આવી રીતે શિષ્ય શંકા કરે છે. શંકા સમાધાનક દષ્ટાંત અને સમજણ સમાધાન આપતાં પૂજ્ય ગુરૂવર્ય શ્રી જણાવે છે કે એક મુસાફર રસ્તે જતા હતા, આંબાના ઝાડને ઉદેશીને બહુ વિચાર કર્યો. વિચારના અંતમાં બોલ્યા કે–આ આંબાનાં આમ્રફલ જે કેરી તે ખાવામાં, આ આંબાની માંજરે કાનની શોભા વધારવામાં, અને
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy