SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ત્તરમાગ પ્રાપ્ત કરાવવામાં નયસારને કેટલી બધી નજીક સંબંધવાળી થઈ? તે વાચક સહેજે સમજી શકે તેમ છે. નયસારના દાનની માર્મિકતા પૂર્વે જણાવ્યા પ્રમાણે નયસાર જોકે ન્યાયવૃત્તિના ધોરણે કેવળ લાકડાં કાપવા માટે જંગલમાં ગયે છે, પણ જેઓ પ્રાચીનકાળની સ્થિતિને જાણે છે તેઓ સહેજે સમજી શકે તેમ છે કે જંગલમાં જનારે કઈ પણ મુસાફર કે કાર્યાથી ખાનપાનને સંગ રાખ્યા સિવાય જંગલમાં જતો નથી, તે પછી જેને જંગલમાં કાષ્ટને સમુદાય કાપીને એકઠો કરે છે, તે મનુષ્ય ઘેરથી ખાનપાનને સાથે બંદોબસ્ત કરી જાય તેમાં આશ્ચર્ય નથી. વળી નયસાર જે જંગલ તરફ કાષ્ટ કાપવાને માટે ગયે છે તે જંગલ સામાન્ય બે ગામ વચ્ચેના વન જેવું ન હોતું, પણ એક ભયંકર જંગલના કિનારા ઉપર આવેલું તે જગલ હતું, અર્થાત્ સ્પષ્ટપણે સમજી શઠાય તેમ છે કે જે સ્થાને તે લાકડાં કાપવા ગયે છે તે સ્થાન એક ભયંકર જંગલને જ ભાગ છે અને તેવા જંગલમાં લાકડાં કાપવા જનારા મનુષ્ય પિતાને માટે ખાનપાનની સામગ્રી સાથે રાખે તે વિશેષ સંભવિત છે. આ વસ્તુને વિચારનારા મનુષ્યથી લાકડાં કાપવા ગએલા મનુષ્ય પાસે ખાનપાન ક્યાંથી હોય? અને તે મુનિઓને પ્રતિલાલે ક્યાંથી? એવી શંકાને સ્થાન આપી શકાય જ નહિ. તેમાં પણ નયસાર મધ્યાહ્નકાળ પણ જંગલમાં ગાળનારે હોવાથી ખાન પાનને બંદેબસ્ત પિતાની સાથે રાખે એ સ્વાભાવિક જ છે. ગૃહસ્થને માટે દાનધર્મની મહત્તા આ સ્થાને એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે સદુગૃહસ્થ પિતાને ઉદ્દેશીને પણ ખાનપાનને બંદેબસ્ત કરે તે કેવળ કેવળ પિતાના પેટ પુરતો તે હેય જ નહિ. જે આજ-કાલના કેટલાક પેટ દેખીને રઈ કરનારાની પેઠે તે નયસાર પણ માત્ર
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy