SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું પ્રાર્થઘનિન પણáનીતરવા વિગેરે જણાવેલા વચનેથી ધિલાભ થયા પછી તે જરૂર દરેક તીર્થંકર પરાર્થ એટલે પરહિત કરવાના વ્યસનવાળા જ! એટલે તે વગર ચેન જ પડે નહિ એવી સ્થિતિવાળા અને સ્વાર્થને ગૌણ કરવાવાળા જ હોય છે, પણ ભગવાન મહાવીર મહારાજ તે સમ્યક્ત્વ પામવા પહેલાં પણ પરાર્થના વ્યસનવાળા હતા એમ નયસારના ભવમાં તેઓશ્રીને સમ્યક્ત્વ પ્રાપ્ત થવાની પહેલાની અવસ્થા વિચારતાં સ્પષ્ટ માલમ પડી આવે છે. નયસારના ભવમાં પરાર્થ વ્યસનીપણું શાસ્ત્રને જાણનાર અને ભગવાન મહાવીર મહારાજના ચરિત્રને સાંભળનાર દરેક મનુષ્યને એ યાદ હશે કે તે નયસાર એક ગામના તલાટી હતા, અને તે તલાટીપણું છતાં તેઓ પરોપકારમાં પ્રવૃત્ત થાય તેજ નવાઈ જેવું છે, કેમકે જેઓને ગામડાઓના તલાટીઓની દશાને અનુભવ હશે તે સ્પષ્ટપણે સમજી શકશે કે ગામડાના અજ્ઞાન અને મજૂરવર્ગોની સાથે સતત વ્યવહાર કરવાનું હોવાથી તેમજ દરેક સ્થાને રાજાની આવકને જ વધારવાની લેહ લાગેલી હોવાથી અને સાથે ગરીબવર્ગ પાસેથી પણ પિતાની નિર્વાહ માટેની આજીવિકા કાઢવાની હોવાથી તે તલાટીના મગજની કેવી ચકમદશા હૈય? અને તેના વચનમાં કેવી ઉદ્ધતાઈ હોય! એ અનુભવ કરનારાઓને સહેજે માલમ પડે તેમ છે, તે એવી દશાવાળી પદવીએ ભગવાન મહાવીર મહારાજા નયસારના ભાવમાં રહ્યા હતા અને તેવી પદવીમાં આગળ જણાવીશું તે પ્રમાણે પરેપકારની બુદ્ધિ થવી તે અસંભવિત નહિ તે દુઃસંભવિત તે જરૂર માનીએ, છતાં તે આત્માની સ્વાભાવિક ઉત્તમતા હોવાને લીધે તેવી પદવીમાં પણ પોપકાર કરવાની વૃત્તિ થઈ છે તે તેમના પરાર્થવ્યસનીપણાના સ્વભાવને જ આભારી છે. પરાર્થ વ્યસનીપણું તેમજ સ્વાર્થનું ગૌણપણું હોવાથી જ તેવી તલાટીની પદવીમાં રહેલે પણ તે નયસાર લાકડાં સરખી ચીજ પણ ગરીબ ઉપર ત્રાસ કે વેઠરૂપે નહિ લેતાં પિતે જ પિતાના
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy