________________
પુસ્તક ૨-જુ દષ્ટિરાગના ફંદામાંથી છટકવું ભલભલા સમજુ-શાણું ગણાતા માનવીઓ માટે પણ અઘરૂં જણાવ્યું છે.
કામરાગાદિને ત્યાગ સહેલું છે, અન્ય દર્શનવાળાએ બધા કંઈ ભૂખે મરતા અને અણસમજથી સંન્યાસ લે છે એવું નથી; તામલિ અને પૂરણુતાપસ સઘળી વાતે જોગવાઈ વાળા ભર્યા ઘરમાંથી નીકળ્યા હતા, પણ જે શાસ્ત્રો કે તેના ઉપદેશકે પર રાગ હોય છે. જેને લઈને કે પિતાની બુદ્ધિ-કલ્પનાને જરાપણ ઉપયોગમાં લીધા વિના માન્યતાના વ્યાહમાં ફસાએલા રહે છે. આવી સ્થિતિમાંથી જ ધીરે ધીરે દષ્ટિરાગ કેળવાય છે. દષ્ટિરાગનું પારદર્શક વિચિત્ર આવરણ
દષ્ટિરાગ એ વિચાર-બુદ્ધિ-માન્યતાની આડે આવવાનું પ્રબલ આવરણ પણ પારદર્શક છે જેથી બુદ્ધિ-વિચાર પણ વિકૃત રીતે પ્રવર્તે તેને પિતાને ખબર ન પડે કે મારા વિચારે દષ્ટિરાગના પારદર્શક દૂષિત આવરણથી અવરાએલ છે.
જેમકે-ગમમાં તડકાથી આંખનું જતન કરવા વાદળી કે લીલા ચશ્મા પહેર્યા હોય ત્યારે બધું કેવું દેખાય ? વાદળી કે લીલું ને!
આપણી પિતાની બુદ્ધિ કે અકલ પણ ત્યાં કેવી અવરાઈ જાય છે ?
કાચને રંગ પહેરનારની અક્કલ કે ધારણા સાથે સંબંધ ન રાખી પિતાને પ્રભાવ બતાવે છે, તે રીતે દષ્ટિરાગ નર્યું મિથ્યાત્વનું સ્વરૂપ હોવા છતાં, તે એવું પારદર્શક આવરણ કાચના જેવું છે, જેથી કે માણસને પિતાની વિપરીત માન્યતા કે વિચારની વિષમતા ઓળખાય નહીં.
ગમે તેવી અક્કલ કે ધારણા સારી હોય તે પણ વાદળી કે લીલા કાચના ચશ્મા પહેર્યા પછી સફેદ ચીજ પણ વાદળી કે લીલી દેખાય તે રીતે ગમે તેટલું ભણેલ કે સમજુ હોય તે પણ દષ્ટિરાગના