SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ગમખ્યાત પદને પ્રાપ્ત કરવામાં જે વિચારશ્રેણીએ કરાવી શકે એવી માનસિક શક્તિ જે જીવામાં છે તે સર્વ શક્તિઓના નાશ તે જીવને હણનારા મનુષ્ય કરે છે તે સ્પષ્ટ છે. Ο આવી અનેક અપ્રાપ્ય, દુર્લભ શક્તિઓનો હિંસાઢારાએ નાશ થતા. હાવાથી જ તે હિંસા કરનારને ચારે ગતિમાં મહાદુ:ખદાયક સ્થિતિ ભાગવવા સાથે તેવી શક્તિઓ ફરી ન મળે એમને એનસીબપણે ભટકવું પડે છે અને તેવું પરિભ્રમણ તેમ જ તેવી શક્તિઓના નાશથી અનેક ભવની પર પરા સુધી ચાલે તેવા વેરની જમાવટથી હિંસાની ભયંકરતા સ્વાભાવિક રીત સમજાય છે. અહિસાના રક્ષણ માટે અસત્યની અપાતી છૂટનુ રહસ્ય આ હકીકતથી પ્રાણાતિપાતવિરમણની ઉત્તમાત્તમતા સાબીત થતાં એ પણ સ્પષ્ટ સમજાશે કે જીવદયાના પાલનને માટે અસત્ય ખેલવાની પણ શાસ્ત્રકારોએ જે આજ્ઞા કરી છે તે વ્યાજબી જ છે અને તેથી જ મૃષાવાદવિરમણને જિંદગીના ભાગે પણ પાળનારા મહાપુરુષ શિકારીના હરિણઆદિના દેખવા સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મૌન રહેવાથી હરિણાદિકના બચાવ ન થાય તે પેાતે હરિણાદિકના ગમનની દિશા જાણતાં છતાં પણ ‘હું નથી જાણતા ' એમ સ્પષ્ટ શબ્દોમાં કહે. , જો કે તે મહાપુરુષનું તે કથન સર્વથા અસત્ય જ છે તે પણ તે અસત્યને દ્રવ્યથકી જ અસત્ય ગણી ભાવ થકી તેને અસત્ય ગણ્યું નથી, એટલું જ નહિ પણ તે દ્રવ્ય અસત્યને પ્રમાદરૂપ તરીકે પણ શાસ્ત્રકારોએ જણાવ્યું નથી, પરંતુ જેમ સત્ય બાલવું એ મહાપુરુષોના આચાર એટલે કહ્યું છે તેમ ઉપર જણાવેલા પ્રસંગે ઉપર જણાવ્યા પ્રમાણે અસત્ય ખેલવું તે પણ તેવા મહાપુરુષાના કપ જ છે. જેવી રીતે આ હરિણાદિકના પ્રસંગમાં ફક્ત હરિણાદિની દયાને માટે અસત્ય મેલવું એ કલ્પ છે. તેવી જ રીતે છ જીવનિકાયની
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy