SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત લેવી એ નિયમને ન અનુસરતાં માત્ર રેગ શમાવવાને ઉદ્દેશ રાખીને જ્યાં સુધી રોગ શમે નહિ ત્યાં સુધી દવાને પ્રતિદિન વારંવાર ઉપ ગ કરે છે, તેવી રીતે પૃથિવીકાયિક આદિ છએ જવનિકાયની દયાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તે સિદ્ધ ન થાય ત્યાં સુધી વારંવાર દરેક શ્રેતાને તે છ જવનિકાયનું સ્વરૂપ વિગેરે જણાવવામાં આવે છે. અહીં કેટલાક શંકાકારે દયાની સિદ્ધિના તત્વને ન સમજતાં અન્ય શાસ્ત્રોની માફક જૈનશાસ્ત્રમાં પણ “અજ્ઞાત પદાર્થનું જ્ઞાપન કરવું” એજ માત્ર શાસ્ત્રનું લક્ષણ સમજી વારંવાર કરાતા છ જીવનિકાય સ્વરૂપ આદિ સંબંધી કરાતા ઉપદેશને નિરર્થક ગણી દેષારોપણ કરવા તૈયાર થાય છે, પણ ખરી રીતે તે અજ્ઞાત તત્વજ્ઞાપનની અન્ય શાસ્ત્રીય દષ્ટિથી કરેલી શંકાકાની શંકા જ જેનશાસ્ત્રોની છ કાય જેની દયા સંબંધી સિદ્ધિના ધ્યેયને વધુ ઝળકાવે છે. પ્રથમ મહાવ્રતની મુખ્યતા. વળી જૈનશાસ્ત્રમાં સાધુપણાને અંગે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહથી વિરમવારૂપ પાંચમહાવ્રતને સરખું સ્થાન છતાં પણ છ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણુતિપાતવિરમણ નામના મહાવતને જ ખેતીની અંદર અનાજની માફક મુખ્ય ફળ તરીકે ગયું છે, અને મૃષાવાદવિરમણ આરિરૂપ બાકીનાં ચારે મહાવતેને તે છ જવનિકાયની દયામય પ્રથમ મહાવતરૂપી અનાજના રક્ષણને માટે વાડરૂપ જ ગણેલાં છે. એ વાત તે જગતમાં સિદ્ધ જ છે કે ખેતરની ચારે બાજુ કરાતી વાડ મુખ્ય ધ્યેયરૂપે હેતી નથી, પણ મુખ્ય ધ્યેય તે અનાજનું રક્ષણ જ હેય છે, તેવી રીતે જૈનશાસ્ત્રોએ મૃષાવાદવિરમણ આદિને મહાવ્રતરૂપે રાખ્યા છતાં પણ મુખ્ય ધ્યેય તરીકે છએ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણાતિપાતવિરમણ નામના મહાવ્રતને અનાજ તરીકે રાખેલું છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy