SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું દ્રવ્ય-ધર્મની માર્મિક વ્યાખ્યા શાસ્ત્રોક્ત ઉદ્દેશ વિના કે અન્ય ઉદ્દેશથી કરાતે ધર્મ તે અપ્રધાનપણની અપેક્ષાએ દ્રવ્યધર્મ છે, તેવી જ રીતે વર્તમાનમાં અવિધિથી કરવામાં આવતે ધર્મ પણ શુદ્ધ ઉદેશવાળે હોય તો પણ તે દ્રવ્યધર્મ કહી શકાય છે, કારણ કે ધર્મના યથાસ્થિત ફળને આપનાર ધર્મક્રિયાને સાવધર્મ ગણી શકીએ અને તેનું ફળ આપનાર તે તે જ ધર્મ હોય કે જે યક્ત ઉદ્દેશ હવા સાથે સંપૂર્ણ વિધિયુક્ત હોય, આ અપેક્ષાએ અવિધિથી કરાતા ધર્મને પણ જે દ્રવ્યધર્મ કહીએ તે અવિધિની મુખ્યતાએ અપ્રધાનપણું ગણીને જ દ્રવ્યધર્મ કહી શકાય. આજ કારણથી જે જે ધર્મક્રિયામાં અવિધિ દૂર કરવાના અને વિધિને આદરવાના પરિણામ સાથે કરાતી ધર્મકિયા અવિધિથી થતી હોય તે પણ તેને ભાવધર્મ કહેવામાં આવે છે, કારણ કે અવિધિને ટાળવાના અને વિધિને આદરવાના પરિણામના સામર્થ્યથી અવિધિથી થયેલા દેશે નાશ પામે છે, અને તેથી જ એવા વિચારવાળા ધર્મને દ્રવ્યધમ ન કહેતાં ભાવધર્મ કહેવામાં આવે છે. અવિાધવાળી ધર્મક્રિયા જો કે અવિધિ ટાળવાનું લક્ષ્ય છતાં ન ટાળી શકાય તેવી અવિધિથી થયેલ ધર્મભવિષ્યના ભાવધર્મના કારણ તરીકે થઈ દ્રવ્યધર્મ ગણાય, તેમાં વ્યતિરિક્ત દ્રવ્યધમપણને વધે નથી, પણ સાતિચાર અનુષ્ઠાનો નિરતિચાર અનુષ્ઠાનનું કારણ બને છે. તેમ જ સકષાય અને અવિરતિપણામાં થયેલા અધ્યવસાય અને આચરણે જ નિષ્કષાય અને સર્વવિરતિપણાને લાવનાર હોઈ તે બધા વિધિની ખામીને લીધે જે દ્રવ્યધ ગણાય, તે તેનાથી ગુણઠાણના અનુક્રમે થતી નિજા થઈ શકે નહિ, અને જે તેમ
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy