SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું તીર્થકર પ્રભુના અવનજન્મ-દીક્ષાની આરાધ્યતા કેમ? સૂમ બુદ્ધિથી જોનારને તે સ્પષ્ટ માલમ પડશે કે જ્ઞશરીરની અવસ્થા વખતે તે તીર્થંકર નામકર્મ સર્વથા નાશ જ પામેલું છે તેથી તે જ્ઞશરીરનિક્ષેપમાં તીર્થંકરપણું માનવું કેવળ ભૂતકાળના કારણરૂપ છે, જ્યારે ભવ્ય પર્યાયની અપેક્ષાએ તે ગર્ભાવતારથી તે શું પણ તેને ઘણા પૂર્વકાળથી તીર્થકર નામકર્મને પ્રદેશોદય રહેલે જ છે, તે ભવિષ્યના પર્યાયને પામવાવાળા ઉત્તમ છવના આધારભૂત ભવ્ય શરીરના નિક્ષેપની ઘણી જ શ્રેષ્ઠતા માનવી જોઈએ, અને આ જ કારણથી ગર્ભાવતાર, જન્મ અને દીક્ષા એ ત્રણ કલ્યાણકે પણ કેવળજ્ઞાન અને નિર્વાણની માફક અરિહંત દેવનાજ કહેવાય છે. ભવ્યનિક્ષેપથી ચ્યવન કલ્યાણકની મહત્તા જે ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાને ન માનીએ અને ફક્ત કેવળજ્ઞાનીપણુરૂપ ભાવ-તીર્થકરની અવસ્થામાં જ દેવપણું માનીએ તે ભગવાન અરિહંત દેવના પાંચ કલ્યાણક કહી શકાય જ નહિ, શાસકાર મહારાજાઓ તે ગર્ભ–અવસ્થાની વખતે વર્ણન કરતાં જ કહે છે કે-વીમદ ઈતિ મારો સહ” એટલે કે મહાયશસ્વી અર્ધન ભગવાન જે રાત્રિએ માતાની કુક્ષિમાં પધારે છે તે રાત્રિએ સર્વ તીર્થકરની માતાઓ ગજ-વૃષભાદિક ચૌદ સ્વમો દેખે છે, આ ઉપરથી ગર્ભાવતાર વખતે પણ શાસ્ત્રકારો પણ તીર્થકર તરીકેની વાત જણાવી છે. વળી તમને મi મહાવીઘુત્તરે હોથા વિગેરે વાક્યોથી શાસ્ત્રકાર દરેક તીર્થકરને ગર્ભાદિક બધી અવસ્થામાં તીર્થકર તરીકે જણાવે છે એ સ્પષ્ટ છે. ભવ્ય શરીરથી આરાધ્યની આશાતનાને વિચાર આ ઉપરથી ભવ્ય શરીર-દ્રવ્ય નિક્ષેપાની આરાધના કરવાનું કલ્યાશક, સ્વપ્ન સંબંધી નિર્દેશ અને જઘન્ય વિગેરે વાચનાના નિદેશથી માત્ર આરાધ્યતા નક્કી થાય છે એમ નહિ પણ તેમની વિરાધના કે
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy