SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પુસ્તક ૧-લું નથી અને તેથી જ જ્ઞશરીરથી થતી ભાવના કે સ્કૂર્તિ ભવ્ય શરીરને દેખીને અનુભવાતી નથી, અને તેથી જ્ઞશરીર-નિક્ષેપાની જગતમાં જેટલી આરાધના પ્રવર્તે તેટલી ભવ્ય શરીર–નિક્ષેપાની આરાધના પ્રવર્તતી નથી, પણ આમ છતાં શરીર જેવી ભવ્ય શરીરની આરાધના ન થતી હોવાથી કે તે બંનેની આરાધનામાં ફરક પડવાથી તે બંનેમાં ભાવના કારણપણુ તરીકે દ્રવ્યનિક્ષેપપણામાં કોઈ જાતને ફરક નથી; કેમકે જેવી રીતે અતીત પર્યાનું કારણ વર્તમાન દ્રવ્ય છે તેવી જ રીતે ભવિષ્યના પર્યાનું પણ કારણ વર્તમાન દ્રવ્ય જ છે અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના દ્રવ્યનિક્ષેપણમાં કઈ જાતને ફરક નથી, તે પણ આરાધકને જ્ઞશરીરપણામાં જેવી જ્ઞાનરહિતતા લાગે છે તેવી ભવ્ય શરીરમાં પણ ઘણે ભાગે અનુભવાય છે, અને તેથી જ મૂળ વસ્તુના જ્ઞાનના પૂજ્યપણાને લીધે તેના કારણની પૂજ્યતા જેમ જ્ઞશરીરમાં આવે છે તેવી પૂજ્યતા જ્ઞાની પુરુષના વચનથી ભવિષ્યના પર્યાની ઉત્તમતા જણાયાથી ભવ્યશરીરરૂપી દ્રવ્ય નિક્ષેપાથી પણ થયા વિના રહેતી નથી. ભવ્યપર્યાયનિક્ષેપ કેમ નહિ? વળી તે જ ભવની અપેક્ષાએ ભવિષ્યની અવસ્થામાં ભાવનું કારણપણું જાણવાથી ભાલ્લાસ થાય છે, એટલું જ નહિ પણ ભવાંતરે પણ થવાવાળી તેવી ઉત્તમ અવસ્થાને કારણપણને જ્ઞાની ગુરુના વચનથી જાણનારો મનુષ્ય પણ ભાલ્લાસમાં આવે છે. તેથી જ ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવમાં ભવિષ્યમાં તીર્થંકરપણાની સ્થિતિ જાણીને હદ બહારને હર્ષ ધર્યો હતે. વળી બૂસ્વામીજીના ભાવમાં થવાવાળી ચરમ કેવળીપણાની દશાને જબૂસ્વામીજીનો જીવ દેવપણામાં હતો તે વખતે ભગવાન મહાવીર મહારાજે શ્રેણિક રાજા આગળ જણાવેલી સાંભળીને જબૂસ્વામીજીના પિતા રડષભદત્તના ભાઈ જે જમ્બુદ્વીપના
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy