SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આગમળેત આરાધવા લાયક મનાતી જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પાષાણ વિગેરે શબ્દ બેલી અવજ્ઞા કરે અને તેના પૂજકને પાષાણપૂજક વિગેરે શબ્દોથી નવાજે તેમાં સત્ય માન્યતાવાળાએ દુઃખ ન લગાડતાં વિરોધીઓ ઉપર પણ ભાવદયા ચિતવતી પણ ભગવાનની પ્રતિમાને નિજીવપણાને નામે ન માનનારા સ્થાપના તે વિરોધીઓ પોતાના આચાર્યાદિકેના મૃતક શરીરનું સત્કાર-સન્માન કરી નિજીવની પૂજા માને એટલે સત્ય પક્ષવાળા તેઓને મડદાના કે હાડપિંજરના પૂજારી કહે એમાં નવાઈ શી? હિંસાને ખેટ હાઉ વળી જે કેટલાકે ભગવાનની પ્રતિમાને સત્ય અને દર્શનીય માન્યા છતાં ભક્તિલાયક માનતા નથી તેમ જ તે પૂજામાં થતી સ્વરૂપહિંસાને પણ અનુબંધહિંસા જેવી ગણાવી હિંસાને ભય આગળ કરે છે. તેઓએ પણ પિતાને આચાર્યાદિકના નિજીવ કલેવરની ભક્તિમાં હિંસાને દેષ કેમ આગળ કર્યો નથી અને હિંસાના નામે ભગવાનની પ્રતિમાની ભક્તિ પિતાના મતમાંથી દૂર કરી, પણ કઈ સદીઓ થઈ ગઈ છતાં આચાર્યાદિકને અંગે થતી હિંસા કેમ દૂર થવા પામી નથી? પ્રભુપૂજા માટે વિકૃત કદાગ્રહ બારીક દષ્ટિથી જોનારે સ્પષ્ટ રીતે કહી શકશે કે ભગવાનની પ્રતિમાને ન માનવાના કદાગ્રહથી તેઓ ભગવાનના જ વૈરી બની રહ્યા છે પણ જે આચાર્યાદિકના કલેવરને પણ થતે સત્કાર રેક વામાં આવે તે પિતાના કલેવરની શી દશા થાય? એ ભયથી તેઓએ મૃત આચાર્યાદિકના કલેવરને સત્કાર અને દહનક્રિયા તેઓના મતે હિંસામય છતાં પિતાના ઉપાશ્રયે તથા પિતાની નજર સમક્ષ થવા દીધી છે થવા દે છે અને થવા દેવાને લાયક ગણી છે. જો એમ ન હત તે નિજીવપણું અને અચેતનને નામે ભગવાનની પ્રતિમાની) પૂજા-ભક્તિને જે નિષેધ સેંકડો વર્ષોથી ચલાવે છે તે ચાલતા
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy