SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત રિવારિકા જેવા સૂત્રથી જ માત્ર તે બાવીસ તીર્થંકરના સાધુ એને દોષ લાગે ત્યારે નિયમિત કરવાનું હોય એમ સંભવે છે, પણ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને આખું પ્રતિક્રમણ પ્રતિક્રમણ અધ્યયનના સૂત્રોની વિધિ સાથે દૈવસિક આદિના નિયમિત વખતે નિયમિયપણે કરવાનું જ છે, અને તેથી જ તે શાસનને સપ્રતિક્રમણ ધર્મ તરીકે કહેવામાં આવે છે, સામાયિક આદિ છ નું આવશ્યકપણું કે પ્રતિક્રમણ પણું? જો કે વર્તમાન શાસનમાં પ્રતિકમણ શબ્બી મુખ્યતાઓ છે આવશ્યક લેવાય છે, પણ પ્રૌઢ અને પ્રાચીન એવા ગ્રંથકારેએ સામાયિકાદિ છએ અધ્યયનેને પ્રતિક્રમણ તરીકે ગણેલું નથી. જેમ કે ભગવાન ભદ્રબાહસ્વામીજી સામાયિકાદિ છએ અધ્યયનની નિર્યુક્તિ કરવાની પ્રતિજ્ઞા કરતાં સારવાર એ શબ્દ વાપરે છે તથા અનુગદ્વાર સૂત્રકાર મહારાજ પણ આવશ્યકના એકાથિક પર્યાયવાળા શબ્દો જણાવતાં પ્રતિક્રમણ એ પર્યાયશબ્દ જણાવતા નથી. યાવતું ભગવાન હરિભદ્રસૂરિજી સરખા સમર્થ આચાર્ય પણ આવશરા વિકૃત્તિ એમ કહી સામાયિકાદિ, છએ આવશ્યકનું વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરતાં આવશ્યકનું વિવરણ કહીશ એવી પ્રતિજ્ઞા કરે છે, તેમજ શાસન સુધાધિપુષ્ટ થએલ અંતઃકરણવાળા જિનભદ્રગણુ ક્ષમાશ્રમણજી પણું વાસયાજુવો વિગેરે શબ્દથી સામાયિકાદિ છ અધ્યયનેને આવશ્યક તરીકે જ જણાવે છે. પણ સામાયિકાદિ છએ અધ્યયનને પ્રતિક્રમણ તરીકે જણાવવાને પ્રસંગ કોઈ તેવા પ્રાચીન પ્રૌઢ ગ્રંથમાં મળ મુશ્કેલ છે. અંગમાં ભલામણ તરીકે પણ તથા સ્વતંત્ર સૂત્રોના નામમાં પણ આ છ અધ્યયનના સમુદાયવાળા શાસ્ત્રને આવશ્યક શબ્દથી જ કહેવામાં આવે છે. સામાયિકાછિઆવશ્યકને માટે પ્રતિકમણ શબ્દ ક્યારથી? છતાં પ્રતિક્રમણશબ્દ છએ આવશ્યકના સમુદાયને અંગે ચેડા
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy