________________
paramboesempatandora
ક જ ” ની ભ યં ક ર તા પર છે
[ આ વ્યાખ્યાન વિ. સં. ૧૯૮૯ પૌષ સુદ ૬ સેમવારે મુંબઈ લાલબાગ (ભૂલેશ્વર) જૈન ઉપાશ્રયમાં પૂ. આગના તલસ્પર્શી વ્યાખ્યાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે આપેલ. ખૂબ જ મહત્વનું આ વ્યાખ્યાન આરાધકને આરાધનામાં પ્રેરણાદાયી છે, તેથી “આગમતના પાઠકના હિતાર્થે અહીં આપવામાં આવે છે. ]
प्राप्तः षष्ठं गुणस्नानं, भवदुर्गादिलखनम् ।
लोकसंज्ञारतो न स्या-न्मुनिलोकोत्तरस्थितिः ॥ રખડવાની ઇચ્છા નહિં છતાં રખડપટ્ટી કેમ?
વિધવઘ વીર વિભુના શાસનને શોભાવનાર સમગ્ર શાસ્ત્રવેત્તા શાસન સંરક્ષક ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજજી જ્ઞાનસાર અષ્ટકની રચના કરતાં સૂચવે છે આ જીવ અનાદિ કાળથી સંસારમાં રખડે છે. રખડવાનું મન નથી છતાં કેમ રખડે છે? એ કારણની વિચારણા કરતાં શાસ્ત્રકાર સમજાવે છે કે જીવ પિતે પિતાને ઓળખતા નથી, તેથી તે રખડે છે. માણસ ભાનભૂલેલી હાલતમાં જ રખડે છે, સાનભાન ઠેકાણે આવી જાય, આપણે આત્મા અજ્ઞાનવશ સંસ્કારની ગૂંચમાં એ જકડાઈ ગયે છે કે પિતાનું મૌલિક સ્વરૂપ સમજવાની તક જ તેને મળતી નથી, કદાચ મળે તે તેને લાભ લઈ શકતું નથી. શેચનીય દશા
આ સ્થિતિમાં શેચનીય બીના એ બને છે કે આપણે આત્મા સરખી રીતે જીવન વિતાવવાના બદલે જે તે ભ્રમણાઓમાં નાહક શક્તિ વેડફી નાંખે છે.