SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩–જુ ૨૯ આપનાર સાધન તે ધ. ધર્મ શબ્દ જગતમાં પ્રિય છે પણ ધમ કહેવા કેાને ? આત્મીય સુખના વાસ્તવિક આનદ માક્ષમાં છે. કાઇ એમ કહી દે કે–માક્ષનું સુખ સમજવું શી રીતે ? જે ચીજ જેની બુદ્ધિના ક્ષેત્ર બહાર હાય તેથી તે ચીજ નથી એમ જો કહી દે, તેથી તે વસ્તુ નથી એમ ન કહી શકાય. જેમ કે “ આબરૂમાં સુખ શું ?” એમ નાના છેકરાને પૂછીયે તે ઉત્તર દેશે ? નહિ' જ ! કેમ કે એને હજી આબરૂની કિંમત સમજવાની વાર છે, નાનું બાળક આબરૂમાં સુખ નથી એમ કહેમાને, તે શું સમજદાર માણસ પણ એમ માનવા તૈયાર થાય ? ના ! સમજદાર તે આખરૂની ખાતર ફના થઈ જવા તૈયાર હાય છે ! જેમ બચ્ચું માત્ર ખાવા-પીવામાં સુખ માને, આખરૂમાં નહિં, તેમ આપણે પણ માત્ર પાંચ ઇન્દ્રિયામાં જ સુખ સમજીએ છીએ, એટલે આત્માના શુદ્ધ સ્વરૂપ (મેક્ષ )માં સુખ કેવી રીતે સમજી શકીએ ! આ પાંચ ઠાઠા (ઇન્દ્રિયા) દ્વારા મેક્ષ સમજાય શી રીતે ? મૂર્ખાને અક્કલ માટી ન લાગે, પણ ભે'સ માટી લાગે ! એક શેઠે પેાતાના છેકરાને શાક લેવા માકલ્યા, છેકરા મૂખ હતા, એવા મૂખ કે જ્યાં શાક લેવા ગયે ત્યાં શાક કે ટોપલા કશું છે કે નહિ ? એ પણ ન જોયું અને કે'ક દુકાને જઈ ઉભા અને શાક માંગ્યું, પેલા દુકાનદારે કહ્યું કે-“ ભાઈ ! અહીં તા અક્કલ મળે છે” પેલાએ જાણ્યું કે એ પણ શાક હશે! એટલે કહ્યુ કે “ વારૂ! અક્કલ આપે। ! ” એમ કહી શેઠના મૂખ' છે.કરાએ દુકાનદારને પૈસા આપ્યા, એટલે દુકાનદારે અક્કલ સંભળાવી કે “ મે જણ લતા હાય ત્યાં ઉભા ન રહેવુ” પેલા છે.કરાએ આવીને બાપને વાત કરી, એટલે બાપે દુકાનદાર પાસે જઈ ઝઘડા કર્યાં અને પૈસા પાછા માંગ્યા, દુકાનદારે અક્કલ પાછી માંગી અર્થાત્ લઢતા હાય ત્યાં છેકરાને ઉભા રાખવાની કબૂલાત માંગી. શેઠે તે કબૂલ્યું અને પૈસા પાછા મેળવ્યા.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy