________________
આગમોત
શ્રીયક મુનિની વિચારધારાને મર્મ
શ્રીયક મુનિની ઉચ્ચ વિચારધારા અંતકાલે પણ વિકૃત ન થઈ એનું કારણ શું? તે પુણ્યાત્મા જિનશાસનના મર્મને ગુરૂગમથી પારખી શક્યા હતા કે-“આરાધના ભલે ઓછી થાય પણ આરાધનાનું લક્ષ્ય સદા જાગૃત રાખવા માટે ઉચ્ચ આદર્શો-ચઢતાનું આલંબન અને નિર્મળ વિચારધારા ટકાવી રાખવી જોઈએ.” માર્મિક વાત
મુદ્દાની વાત એ કે-પગ્ન. લેનારે લીધા પછી તેને અખલિત બનવા માટે સંસ્કારોના તફાનથી ચિત્તની ચળવિચળ સ્થિતિએ પણ પુણ્યવાન આત્માઓની વિવિધ નિર્મળ આરાધનાઓનું આલે બન વિચારી પરિણામેની ધારા વ્યવસ્થિત રાખવી. ઉચ્ચ આદર્શોથી પચ્ચાની સાનુબંધતા
તપ એ આત્માને ગુણ છે, તેને વિકસાવવા માટે એગ્ય પુરૂપાર્થની જરૂર છે, આત્મશક્તિઓ વ્યવસ્થિત પ્રયત્નથી ખીલે છે એટલે તપસ્યા કરનાર પચ્ચ. લીધા પછી ઉચ્ચ આદર્શો નજર સામે રાખે તે ખૂબ જ ચોક્કસ રીતે આગળ વધી શકે છે. વાસનાની વિષમતા
ખાઉં-ખાઉંની વાસના આહાર-સંજ્ઞાના બળે અનાદિકાળથી આત્માને વળગેલી છે, તેની વિષમ અસર તળે તપને ગુણ અવ રાઈ ગયો છે, પણ એમ વિચારવાની જરૂર છે કે-અનંતકાળથી વિવિધ
નિઓમાં અનેક ઉત્તમોત્તમ દ્રવ્યને ભોગ કરવા છતાં આહારની વાસના ઘટી નહીં.
બીજા ભવની વાતે ક્યાં કરવી?
આ ચાલુ જીદગીમાં પણ ત્રીશ, ચાલીશ, પચાશ, કે સાઠ વર્ષોથી રોજ બને વખત વિવિધ ભોજન દ્રવ્યો વાપરવા છતાં પણ ઉપવાસ કે આયંબિલનું પારણું આવે ત્યારે જાણે કદી આપણે ખાધું જ