SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ હળદરના રંગની જેમ ઉપલકીયા ધરણે પંચાચારનું પાલન હોય ત્યાં પચ્ચકખાણ (ભાવથી) ન હોય પણ જેના આત્મામાં અંદર આચાર પરિણમેલ હોય, જે પંચાચારને પિતાની પવિત્ર ફરજ તરીકે માનતા હોય, તેમ જ પંચાચારની મર્યાદામાં નિયમિત પણે પિતાની જાતને ટકાવવા મથતું હોય તે પચ્ચને અધિકારી છે. પંચાચાર પાલનની પ્રવૃત્તિ પણ જરૂરી વળી પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેવાની સાથે પંચાચારના બાબતની સતત પ્રવૃત્તિ હેવી જરૂરી છે. કેરક પ્રસંગે - સોબતના રંગે કે લેકેષણાથી પંચાચારનું પાલન કર્યું હોય તેટલા માત્રથી પચ્ચન અધિકારિતા ન આવે, જેમ કે-“કાઠીયાવાડમાં રમુજમાં કેક વાંઢાને પૂછાય કે–પરણ્યા છે ? તે કહે કે હા બાપ પરણ્યા હતા! ઘરમાં પરણેતર હતું” આની જેમ પંચાચારનું પાલન ક્યારેક કરવાથી પચ્ચ૦ની અધિકારિતા નથી આવતી. પચ્ચની અધિકારિતા માટે મર્યાદાઓનું મહલવ એટલે કે પચ્ચ.ની અધિકારિતા મેળવવા માટે પંચાચારની મર્યાદાઓનું પાલન સતત જરૂરી છે, કદાચ સંજોગવશ પાલનમાં મંદતા આવે તે પણ તેની મર્યાદાઓની વ્યવસ્થા જીવનમાં સદા ટકી રહેવી જોઈએ. આને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય આશય એ છે કે – આચારનું પાલન અમુક સીમિત સમય સુધી ભલે હેય ! પણ તેની મર્યાદાઓની વ્યવસ્થાનું અસ્તિત્વ અનાચારના ત્યાગ દ્વારા સતત રહેવું જોઈએ. અનાચારને ત્યાગ જરૂરી આ ઉપરથી આ અધ્યયનમાં સમિતિ-ગુપ્તિના પાલનરૂપ આચારના પાલનની વાત પચ્ચ.ના અધિકારીના નિર્દેશમાં જણ વવા સાથે હિંસા આદિ અનાચારના વજનની વાત પણ મહત્વની જણાવી છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy