SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ર આગમોત કહેવાય છે પણ તેથી તેનું દ્રવ્યજિનસ્તવપણું સર્વથા જતું નથી, તીર્થંકર મહારાજાની હયાતીના કાળમાં લઈએ તે પણ જે જે તીર્થકર વિદ્યમાન હોય તેમની તેમની અપેક્ષાએ ભાવજિનની સ્તુતિ થાય છતાં ભૂત અને ભવિષ્યના તીર્થકરની અપેક્ષાએ તે તે જોreત્તની અંદર કરતી સ્તુતિ દ્રવ્ય જિનની સ્તુતિ કહેવાય. ઢોવાણ સૂરથી દ્રવ્ય નિક્ષેપનું મહત્વ આ ઉપરથી જેઓ કેવળ ભાવનિક્ષેપ જ માનનારા છે તેઓને તીર્થકરોના વિરહકાળમાં કે હયાતી કાળમાં રોગ બલવાનો હક્ક રહેતું નથી. સર્વકાળમાં ગ્રાહ૦ બોલવાને હક્ક તેઓને જ રહે છે કે જેઓ ભાવનિક્ષેપાની માફક દ્રવ્ય નિક્ષેપાને પણ માનનારા હોય છે. વળી તે દ્રવ્યપક્ષની મુખ્યતા ગણવામાં ન આવે તે વર્તમાનમાં સિદ્ધપણું પામી સર્વગુણસંપન્ન થયેલા મહાપુરુષોને પગાહીકર્મ સહિતપણામાં રહેલા તીર્થંકરાદિ ગુણોથી સ્તુતિ એગ્ય ગણાય જ કેમ? અર્થાત્ દ્રવ્ય નિક્ષેપાને માનનારો જ પુરુષ પિતાની ઈષ્ટ એવી તીર્થંકરાદિ અવસ્થાથી સિદ્ધપણું પામેલા તીર્થ કરાદિની સ્તુતિ કરી શકે. નામ અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા દ્રવ્ય નિક્ષેપના નિરૂપણમાં અપ્રધાનને પણ ભૂત ભવિષ્યના કારણની જેમ દ્રવ્ય માન્યું. તે નામનિક્ષેપ પણ ગુણ વગરમાં હોય છે અને અપ્રધાન દ્રવ્યપણું પણ ગુણ શૂન્યમાં હોય છે તેથી તે બે વિભાગ શી રીતે સમજાય? કેમકે અપ્રધાન દ્રવ્યમાં અને નામમાં ગુણરહિતપણું તે સરખું છે જ. જો કે સ્થાપનામાં સાક્ષાત્ ગુણસહિતપણું નથી હોતું પણ સ્થાપનામાં રહેલા આકાર વિગેરેથી જેવું ગુણમાં સાક્ષાત ભાન થાય છે, તેવું નામ અને દ્રવ્યમાં નથી થતું તે તે સહેજે સમજાય તેવું છે, પણ સ્થાપના સિવાયના ગુણહીનને અપ્રધાન દ્રવ્ય ગણવું કે નામ ગણવું એ સમજવાની જરૂર છે.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy