SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું સ્થાપનામાં આવે. જૈન ધર્મને જાણનાર ને માનનારાઓ જેમ જિનેશ્વર મહારાજના ચિત્યમાં જિનેશ્વર મહારાજાએ આદિની સંભાવ સ્થાપનાઓથી પરિચિત છે. તેવી જ રીતે ગુરૂમહારાજની પાસે દરેક ક્રિયાકાંડમાં આચાર્યની સ્થાપના તરીકે રહેલા અક્ષઆદિથી સારી રીતે પરિચિત હોય છે, જો કે તે અક્ષમાં કઈ પણ પ્રકારે આચાર્યને કે પંચપરમેષ્ઠીને આકાર નથી. તે પણ તે અક્ષાદિને પ્રતિક્રમણ આદિમાં વેવવંદન કરતી વખતે પંચપરમેષ્ટી તરીકે અને વંદન આદિ આવશ્યકમાં ગુરુ (આચાર્ય) તરીકે માનીને તેમની સમક્ષ સાક્ષાત્ આચાર્યની સમક્ષ કરાતી હોય તેવી રીતે ક્રિયા કરવામાં આવે છે. જો કે કેટલાક અજાણુ મનુષ્ય આ અક્ષઆદિ કે જે સ્થાને સ્થાન પર શાસ્ત્રમાં અસદૂભાવ સ્થાપના તરીકે ગણાય છે તેમાં પણ આચાર્ય આદિના ઢીચણને આકાર છે એમ કહેવા તૈયાર થાય છે, પણ અક્ષાદિના અભાવ સ્થાપનાપણાને જે તેઓ નિષ્પક્ષપણે વિચારશે તે તેઓને પિતાની ભૂલ સુધારવાને રસ્તે મળશે. સ્થાપનાનંદીને નિષ્કર્ષ ચાલુ સ્થાપનાનંદીને અધિકારમાં પણ કેઈ અક્ષાદિને ભાવનંદીવાળા સાધુ તરીકે સ્થાપવામાં આવે તે તેને અસદ્દભાવ સ્થાપના નદી તરીકે કહી શકીએ. પણ જ્ઞાનપંચકમાં આકાર નથી એમ ધારી જ્ઞાનપંચકવાળા સાધુ આદિની આકારવાળી સ્થાપનાને અસદુભાવ સ્થાપના તરીકે કહી શકાય જ નહિ. આ ઉપરથી ભાવનદીની સ્થાપના, સદુભાવ અને અસદુભાવ એમ બે પ્રકારે થાય છે એમ નક્કી થયું અને તેથી જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સભાવ અને અસદુભાવરૂપી સ્થાપના તે સ્થાપનાનંદી તરીકે ગણવાનું નક્કી થયું. સ્થાપના સત્ય એટલે? હવે જે શબ્દ એકલા કેત્તરમાર્ગની સાથે સંબંધ રાખતે
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy