SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું મુદત સુધી નિર્વિઘપણે જીવવા દેવાની જ માત્ર સગવડ થાય છે, પણ જેમ લેણદાર લેણી રકમને માંડીવાળીને ફારગતી આપી દઈ દેણદારને સર્વથા છૂટે કરે છે, તેમ આ દ્રવ્યદયામાં કઈ પણ પ્રાણીને સર્વથા મરણથી બચાવતું નથી, કે જીવનનું સ્થાયીપણું કરતું નથી. જો કે આ ઉપરથી દ્રવ્યદયાની કિંમત ઘટે છે એમ ન માનવું, કેમકે મોટામેટા રાજ્ય પણ દેવાના વ્યાજની માફીથી કે દેવાની રકમની મુદતના હફતા નહિ લેવા દ્વારા કરાતા વધારાથી પગભર થયાં છે તેવી રીતે આ પ્રાણી પણ કોઈ પણ પ્રાણીના આયુષ્ય અને સ્પર્શ ઈદ્રિયના નાશથી મુદતને કાળાંતરને માટે લંબાવે તે તે પણ ઘણું જ ભાગ્યશાળીપણાનું કર્તવ્ય છે, પણ આવી દ્રવ્યદયા કરતાં પણ ભાવદયા અપૂર્વ ચીજ છે એમ જણાવવા માટે જ ઉપર દ્રવ્યદયાની વાસ્તવિક સ્થિતિ જણાવી છે. ભાવદયાને ઉપક્રમ હવે ભાવદયા શી ચીજ છે? એ જાણવાની દરેકને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક જ છે, ઉપર જણાવેલ દ્રવ્યદયાના સ્વરૂપથી જ સુજ્ઞ વર્ગ ભાવદયાનું સ્વરૂપ સમજી ગયો હશે, છતાં બધા તેવા સુજ્ઞ હેય તે સંભવ ન હોવાથી બાલજીની સમજણ માટે ભાવદયાનું સ્વરૂપ સમજવું જરૂરી છે. સિદ્ધોમાં જીવવા ભાવદયાના સ્વરૂપને સમજવા પહેલાં સુજ્ઞ સજીએ એ ધ્યાનમાં રાખવું કે જેવી રીતે આયુષ્ય અને સ્પશન ઈદ્રિય વિગેરે જીવેના બાહ્ય પુદગલની મદદ દ્વારાએ ધારણ થતા હોવાથી કશ્ય પ્રાણુ છે. તેવી રીતે બાહ્ય પુદગલોની મદદ (સવાય જીવમાત્રથી ધારણ કરાયેલા સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર વિગેરે રૂપી ગુણે તે જીવના આત્મીય ભાવમાણે છે. આ જ કારણથી પાંચ ઈદ્રિમાંથી
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy