SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ગણતાં સર્વથા સત્ય ઉપદેશક જ ગણવામાં આવે છે, વળી સાધુ મહારાજાએ પણ સુપાત્રદાનને ઉપદેશ દેતાં યાવત્ સાધુ મહાત્માઓને સુપાત્ર મનાવવાથી પિતે જ સુપાત્રમાં આવી જાય છે, અને પિતાને દેવાતું દાન પણ મહાલાભદાયી છે એમ અચંપત્તિથી ચેખું સિદ્ધ થાય છે, તે પણ તે સુપાત્રદાનને ઉપદેશક સાધુ મહાત્માને લાલચુ કહી શકીએ જ નહિ. જ્યારે રાગદ્વેષે ભરેલા સજીને અને સાધુ મહાત્માઓ. સજનગણ અને સાધુ મહાત્માઓના સમુદાયના સંસર્ગ અને દાનના ફળોને બતાવતા દૂષિત કે અભિમાની ગયું કે માની શકાતા નથી, તે પછી જેઓ ક્ષીણમેહનીયવાળા હાઈ વીતરાગ થઈને સર્વજ્ઞ થએલા છે તેવા જિનેવરદેવના સમુદાયની પૂજાના ફળને જણાવે તેમાં સત્ય ઉપદેશ સિવાય બીજું કહી કે માની શકાય જ કેમ? જેમ એક સાધુ મહાત્મા ઉપદેશ દેતાં જણાવે કે “સાધુ મહાત્માઓના નામગોત્રને શ્રવણ કરવા માત્રમાં પણ ઘણું જ ફળ છે અને તેના કરતાં સાધુ મહાત્માની સામે જવું, તેઓને વંદન કરવું, નમન કરવું, સુખશાતા પૂછવી અને ત્રિવિધ પર્યું પાસના કરવી તેમાં તે અનહદ લાભ છે.” આ ઉપદેશ કરનાર સાધુ મહાત્મા જેમ પિતાની એક વ્યક્તિને અંગે આ ઉપદેશ નહિ દેતે હેવાથી મહાત્વાકાંક્ષાવાળા છે એમ જેમ કહી શકાય નહિ તેમ જ તે ગૃહસ્થનું રહામે આવવા વિગેરેમાં થતું પ્રાણીનું નુકસાન કરાવનાર તે સાધુ મહાત્મા જ છે એમ કહી શકાય નહિ, કારણ કે તે સાધુ મહાત્માને ઉદ્દેશ પ્રાણુઓની બાધા માટે. અંશે પણ નથી. પરંતુ માત્ર તે શ્રેતાઓના આત્માનું કલ્યાણ થાય તે જ તે સાધુ મહાત્માના ઉપદેશનું તત્ત્વ છે. તેવી જ રીતે સાધુ મહાત્માઓને પણ ભગવાન જિનેશ્વરદેવે સંયમ પાલન માટે વિહાર અને નદી ઉતરવા વિગેરે કહેલ છે તેમાં પણ જે કે અનેક પ્રાણીઓની વિરાધના રહેલી છે, છતાં ભગવાન
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy