SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યોત નથી પણ વિધિભેદ થાય છે. વિધિની નિયમિતતા જાળવવી ટકાવવી જ જોઈએ, કારણ કે--સકલતીર્થના કર્તા જીવવિજયજી મહારાજથીએટલે સહેજ ૨૫૦-૩૦૦ વર્ષથી આચરાએલી વિધિ આચરણીય છે. કેટિધ્વજની છોકરી માંડવામાં ચુંદડી પહેરીને બેસે, વરરાજા જાણે પહેરે. નાતને રીવાજ બધાને પાલવે તે હવે જોઈએ. તેમ સામુદાયિક પ્રતિક્રમણમાં સમુદાય વિધિએ થાય તે જ ઠીક છે. જે શાસ્ત્રકારોએ વિધિ કહી તે કર્યા પછી બાકીનું થાય તે શી હરકત વિધિની મર્યાદાનું પાલન ચુસ્તપણે થવું જોઈએ. પ્રશ્ન–ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ શ્રુતકેવલી હેવાથી શ્રુતજ્ઞાનથી ભગવાનને નિર્વાણ સમય કેમ ન જાણી શક્યા? સમાધાન–શ્રુતજ્ઞાનથી જાણતા હોય તે પણ મૃતથી ઉપયોગ મુકે તે ખ્યાલ આવે? જેમ ચોપડામાં જાતે લખેલ હોય છતાં ઉપગ મુકે તે જ તે ખ્યાલમાં આવે છે, તેમ વિનયવાળો વિવેકને આગળ કરે તેથી હુકમ થયો એટલે ખલાસ. એ કારણથી એ વિષય તરફ તેમનું લક્ષ્ય જ નથી. વિવેકના અવસરે વિનયની મુખ્યતા ન થાય. પ્રશ્ન ૧૦–પ્રભુને ગૌતસ્વામીને ત્યાં મોકલવાની શી જરૂર? સમાધાન–મુખ્યતાએ બેધિની પ્રાપ્તિ કરાવવા માટે મોકલેલ છે. કારણ કે ભગવાન પોતે કર્મબંધથી બચતા રહે છે ને બીજાને બચાવતા રહે અને તેથી જ શ્રી મુનિસુવ્રતસ્વામી ભરૂચમાં અશ્વને પ્રતિબંધ કરવા માટે યજ્ઞમાં ગયા છે, અને એ નિમિત્તે ઘણાને. બે ધિલાભ પણ થયું છે. પ્રશ્ન ૧૧—ક્રિયા વગર અવિરતિ માત્રથી કર્મબંધ શી રીતે થાય? સમાધાન–કમના વિકારથી અવિરતિપણું છે. તે વિકારો આત્મા માં હોવાથી કર્મ બંધાયા જ કરે છે. જેમ શરીરમાં વિકાર સ્વરૂપ રસેળી થઈ હોય તે તે રસળીને વધારવાની આપણને લગીર પણ ઈચ્છા નથી, છતાં પણ બીજા અવયવે જેમ જેમ વધે છે, તેમ તેમ
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy