SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજું ૨૧ ઉત્તર- આપ જે. બોલશો નહિ, એ શબ્દ કરશે તે શ્રુતજ્ઞાન જ આવશે, તે જ્ઞાને તો રાંડેલીમાતા સમાન જ કહેવાય. જેમ રડેલીમાતાને તે પૂજવાની જ હોય તેમ ચારે જ્ઞાને પૂજ્ય ખરા પણ દેવાય લેવાય નહિં. આ ઉપરથી એ નિશ્ચય થયે કેપિતાનું ને પરનું સ્વરૂપે પ્રગટ કરનાર મૃત જ છે. મતિ આદિક ચાર જ્ઞાને પોતાનું સ્વરૂપ પણ પ્રગટ ન કરે તે પારકું શું જણાવે ને જણાવે નહિ તે દેલે પણ શું? માટે શ્રુતજ્ઞાન જ સ્વપર પ્રકાશકે છે. દેવા લેવામાં પણ શ્રુતજ્ઞાન છે. આશાતના થવી કે વવી તે પણ શ્રુતદ્વારાએ જણાય. વળી ભક્તિ કરાય તે પણ શ્રુતદ્વારાએ જ હોય. માતાપિતા, ભાઈ બેન, સ્ત્રી આદિકનું જ્ઞાન પણ શ્રુતથી જ થાય છે. આદિકનું લખવું કે છેલવું તે પણ કૃતરૂપ જ છે. ને તે શ્રુતજ્ઞાન અનાદિકાળનું ચાલ્યું આવે છે. શાસ્ત્રો પર વિશ્વાસની જરૂર બુદ્ધિકલ્પિત માનવાની આપણને ઈચ્છા થાય છે પરંતુ સર્વજ્ઞભગવાને કહેલ સત્યતત્વ ને માનવાની ઈચ્છા થતી નથી તે જ આશાતના છે. રહોવિ મા વચનં પરભવનું કાર્ય કરવું હોય તે આગમ નું વચન જ પ્રમાણ છે. એમ માનજે. વ્યાવહારિક કાર્યમાં અમુક રૂપીઆના પગારદારને ભરેસ આવે છે પણ વીતરાગના વચન ઉપર વિશ્વાસ આવતું નથી એ કઈ દશા? ખરેખર આનાથી બીજું હીણભાગીપણું શું હેઈ શકે. વિચાર! તમે તાર કરે છે. તે સાચે છે યા છે તે માટેને વિશ્વાસ તાર માસ્તર ઉપર રાખો છે. તેના ઉપર વિશ્વાસ આવે છે ને શાસ્ત્રની વાતમાં વિશ્વાસ આવતો નથી. કહે કમભાગ્યની કાંઈ સીમા ખરી કે? ધર્માદિક ક્રિયા કરવી નથી ને થોડું બનવું છે તે ન બને. ત્યાગીપણમાં કે ત્યાગ ભાવનામાં રહેવું નથી ને આગેવાન બનવું છે તે શી રીતે પાર પડે ? ન જ પાર પડે.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy