SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ * ૨૭ કે–સિદ્ધ સગવંત શુદ્ધ સ્વરૂપી-નિરાવરણ બનેલા છે, નિગદના એકેન્દ્રિય છે અશુદ્ધ અને આવરણ સહિત છે. જીવની સ્વાભાવિક શુદ્ધિ * ચૈત્ર-વૈશાખના કે અષાડ-શ્રાવણના સૂર્ય માં કંઈ ફરક નથી, ફરક માત્ર વાદળાં હેવા–ન હોવાનું જ છે. વાદળાં ન હોય એટલે સૂર્ય સ્પષ્ટ દેખાય અને વાદળાં હોય ત્યારે સૂર્ય તે છે જ પણ દેખાય નહીં, તે રીતે દરેક જીવ સત્તાગત કેવલજ્ઞાન ગુણની અપેક્ષાએ સર્વજ્ઞ સ્વરૂપ છે, જેવા કે સિદ્ધ ભગવંતે નિર્મળ કેવલજ્ઞાન ગુણ વાળા છે. આ કારણથી જ આપણે તીર્થકર દેવ પરમાત્માને “નમોથ ” “સૂત્રના કિનાં કાવવા, તિcurrળ તથાળ, ગુઢ્ઢાળવોદયાળ, મુત્તા જોયા,” પદેથી આત્મતુલ્ય-પરફળકર્તુત્વ નામની વિશિષ્ટ સંપદાથી અલંકૃત માની સ્તવીએ છીએ કે મારામાં સત્તાગત રૂપે આપના જેવા જ વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણે રહેલા છે. પણ ઉપર કર્મોના આવરણના લીધે તેને અનુભવ થઈ શકતું નથી, તેથી આપની સ્તવના કરી પ્રબલ ગુણાનુરાગ આદિથી મેહનીયને અપકર્ષ થઈ આવરણ ખસે અને મૌલિક આત્મધર્મની સંવેદના મને થાય, અને તેમ થવામાં આપ પ્રબળ પુષ્ટ નિમિત્તરૂપ છે, આ રૂપે આપ જાપક, તારક, બેધક અને મોચક છે !!! ટૂંકમાં આ વિશેષણો આત્મામાં સત્તાગત રૂપે જ્ઞાનાદિગુણોની સંપદાની વાતને પુષ્ટિ આપનાર છે. જીવ પાપ કેમ કરે છે? એટલે સઘળા જીને કેવળજ્ઞાનાદિ શુદ્ધ સ્વભાવ અને તેને પ્રકટ કરનાર સર્વવિરતિરૂપ પચ્ચકખાણ મૌલિકધર્મ સાબીત થયે, છતાં જગતના જીવો પાપથી વિરમવાના બદલે પાપ પ્રવૃત્તિ વિવિધ રીતે કેમ કરવા મથે તે? એ સવાલના જવાબ તરીકે માનવું પડશે કે-પાપ પ્રવૃત્તિ ઔદયિક ભાવની ચીજ છે, તે તે કર્મના ઉદયથી
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy