SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત વળી ચેથા અધ્યયનના અધિકારો સાથે પણ પાંચમા અધ્યયનના વિષયેનો સંબંધ છે તે કેવી રીતે? તે જણાવતાં ફરમાવે છે કે “અનr ને પ્રત્યાઘાનજિયા, વા વાડવા-વાतस्य सतो भवतीत्यतस्तदनन्तरमाचारश्रुताध्ययनमभिधीयते" પચ્ચકખાણુના મહત્વ વિષે ચેરનું દૃષ્ટાંત સૂવકૃતાંગના બીજા શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં પચ્ચ. કૂખાણની ક્રિયા જણાવવામાં આવી. કેવી રીતે જણાવી? તે કહે છે કે પચ્ચકખાણ કરે તે પાપથી બચે, મનમાં પાપને સંકલ્પ, કાયામાં આચાર અને વચનમાં ઉચ્ચાર ન હોય તે પણ પાપ બાંધે, એક મનુષ્ય ચોરી કરવા નીકળે, પરહદમાં ગયે ચેરી માટે લાગ ન મળે. આરામ માટે ઝાડ નીચે બેઠે ને ત્યાં ઊંઘી ગયે તે આ વખતે તેને ચોરીને વિચાર છે ? વચન ચારીનું બેલે છે? ને ચોરીની ક્રિયા કરે છે ? તે કહેવું પડશે કે તે કંઈ કરતું નથી તે તેને શાહુકાર કહી શકાય? ના! કારણ કે ચેરીના પરિણામ છે માટે, ચોરીના રસ્તે નીકળેલ તે ચેરીને સંકલ્પ ન કરે, વચન પણ ન બોલે ને તણખલું પણ ન હલાવે તે પણ શાહુકાર ન ગણાય. ચેરના દષ્ટાન્તની સંગતિ તેમ આપણે આ સંસારમાં અનાદિકાળથી રખડીએ છીએ તે અનંતા ભવે દરમ્યાન કયા ભવમાં કયા કયા પાપના સંકલ્પ નથી કર્યા? પાપના વિચાર નથી કર્યા? કે પાપના ઉચ્ચારે પણ નથી કર્યા? ખરેખર બધા ભામાં તે પ્રમાણે કરેલું છે, ને તેથી સર્વ ભવમાં રખડ્યા છીએ. આ સ્થિતિમાં આપણે ભૂતકાળમાં વિવિધ પાપ માટે સંકલ્પ વિચારે ને ઉચ્ચારે કે પ્રવૃત્તિઓ કરેલ છતાં અત્યારે ચૂપ થઈને બેઠા, એટલે ચાર સૂઈ ગયે હોય તેથી કંઈ તે શાહુકાર ન ગણાય,
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy