SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ : સેલમાં વરસના પ્રારંભે ? કામદેવના પંઝામાં મહાદેવ, બ્રહ્મા, કૃષ્ણ જેવા મહારથીઓ પણ ફસાઈ ગયાનું સાંભળવામાં આવે છે. ત્યારે તે વીતરાગ પરમાત્મા! આપની આગળ તે તે કામદેવ હાર પામી ગયો છે. અર્થાત્ આપ કામદેવને વશ નહિ થતાં, તે કામદેવને આપે વશ કરી લીધે છે એ આપની બલીહારી છે. સજજન સ્નેહી હો શીયળથી સુખ લહે, આતમ નિર્મળ થાય; ગત સકલમાં જેહ શિરોમણિ, જસ ગુણ સુરનર ગાય. શીલવ્રતનું પાલન કરવાથી અનેક પ્રકારના દિવ્ય સુખ પ્રાપ્ત થાય છે, ઉપરાંત આત્મા ઘણે નિમળ બને છે, સ્વેચ્છાએ બ્રચય નહિ પાળવા છતાં ચક્રવતિને ઘડે મરીને દેવલેકમાં જાય છે. તે પાળેલા બ્રહ્મચર્યનો પ્રભાવ છે. જેઓ શુદ્ધ પ્રકારે શીલવ્રત પાળે છે, તેમના ગુણગાન દેવતાઓ પણ કરે છે. બ્રહ્મચર્યવ્રત સઘળા વ્રતમાં શ્રેષ્ઠ છે. માટે બ્રહ્મચર્યનું પાલન કરવું એ અત્યંત હિતકારી છે. નાણી દેખી હૈ નયન ન જેડીએ, નવિ પડીએ ભવ૫; શ્રી જિનવાણું હે ભવિયણ ચિત્ત ધરે. - હે ભવ્યજન! તમે શ્રી જિનેશ્વર ભગવાનની વાણી ચિત્તમાં ધારણ કરો. સ્ત્રીને રાગદષ્ટિથી જોવાથી જીવ ભવરૂપ કૂવામાં પડે છે. માટે સ્ત્રી નજરે પડતા તેની સાથે આંખ મીલાવવી નહિ. સ્ત્રીને વશવતિ પિતાના આત્માનું કલ્યાણ કરી શકતો નથી. જેઓને આત્માનું કલ્યાણ કરવું હોય તેઓએ સ્ત્રી આદિના વિષયને દૂરથી ત્યાગ કરે જરૂરી છે. . પ્રાણ હમારા પરલોક જાયે, પણ સત્ય ન ડું અડશે માંજો, માંજો માં માંજો અડશે માં. રાવણે વનમાંથી સીતાજીનું હરણ કરી પિતાને ત્યાં રાખી તેને મનાવવા કેટકેટલા ઉપાય અજમાવ્યા છતાં સતી સીતાજી પિતાના શીલવ્રતમાં અડગ રહ્યા, ધમકીઓને પણ ગણકારી નહિ, મંદરી (રાવણની પત્નીએ પણ સમજાવી જોયું. રાવણ જે રાવણ આજીજી પૂર્વક વિનવણી કરવા લાગે ત્યારે સાફ સાફ જણાવી દીધું કે મારા પ્રાણ ચાલ્યા જશે તે પણ હું શીલવતને ભંગ કરનાર નથી. શીયળ એ સ્ત્રીનું પરમ ભૂષણ ગણાય છે. ગ ઉપર સહામણું રે, અંદર અશુચિ ખાણ તે; એવી કાયા દંભ ભરેલી, સત્ય જિનની વાણુ તે. શરીર ઉપરને રંગ ગમે તે મનહર હોય પણ અંદર તે અશુચિ ભારેભાર ભરેલ છે. મલ–મૂત્ર, રૂધીર, ચરબી વગેરેવાળી દુધમય કાયા છે. તેના ઉપર મહ શ કરશે ? શરીર ઉપર મેહ કરવાથી લાભ કંઈ થતું નથી પણ દુર્ગતિમાં પતન થાય છે, શરીર ઉપરની ચામડી દૂર કરવામાં આવે તો કાગડા કૂતરા વગેરેથી શરીરનું રક્ષણ કરવું ભારે પડી જાય. અર્થાત્ કૂતરા, બીલાડા વગેરેને આ કાયા ફેલી ખાતા વાર ન લાગે. મળેલી કાયા દેલવાળી છે. કયારે દગો દે એ કહી ન શકાય. કેમકે ચેડા વખતમાં કાયા ઢીલી પડી જનારી,
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy