________________
જૈનહિતેચ્છ.
શકવાની છે? ધર્મ અને જ્ઞાતિભેદો હાં સુધી જોરમાં છે, અને હાં સુધી જર્મન જેવી જોહુકમીથી આ તીડેનો સંહાર કાયદારૂપી તપના એક જ અવાજથી કરવામાં આવે નહિ, હાં સુધી સરકારે હોમરૂલના ફાવી જવા બાબતને ભય રાખવાની કશી જરૂર નથી;–અને શાણી સરકાર એટલા માટે તે હિંદમાં જ્ઞાતિ કે ધર્મ બાબતમાં માથું મારવાથી વેગળી રહી છે ! અને ધર્મઘેલા લોકો એ તટસ્થતાને ખાસ મહેરબાની માની ધર્મરાજ્ય’નાં વખાણ દરેક મીટીગમાં અને દરેક માનપત્રમાં કર્યા કરે છે! ખરેખર હિંદુસ્તાનીઓના ધર્મોને સુનેરી જમાનો આજના જેવો બીજો ભાગ્યે જ થયો હશે કે, થશે !
હિંદી વજીરને માનપાના ઢગલા ઉપાડવા અને જાળવવા તથા વાંચી જવાનું પણ મુશ્કેલ થઈ પડશે ! કાં એમ ન બને કે સેંકડો માનપત્રો અને અરજો વાંચવાને બદલે અને જૂદા જૂદા જવાબ અને કારણો લખવાના પરિશ્રમને બદલે તે સઘળાને હિંદી સમુદ્રમાં પધરાવી એક જ સામાન્ય જવાબ બધાને તારના એક શબ્દદ્વારા આપી દેવામાં : આવે કે “Impossible !”