SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન, आंकारविंदु संयुक्तं नित्यं ध्यायति योगिनः ॥ कामदं मोक्षदं चैव आंकाराय नमोनमः ॥ ઉપદ્રઘાત. આજે ધ્યાનનો વિષય છે તે ઘણે કઠીણ છે; માટે ધ્યાન'ના વિષયનું શ્રવણ કરવામાં જે ધ્યાન હોય તો જ તે વિષય સમજી શકાય. જે વાત અનુભવની છે અને અનુભવથી જ જણાય તેવી છે, અને જેનું સ્વરૂપ પણ અનુભવમાં જ રહેલું છે, તેને આપણે શબદથી કહેવા અને સાંભળવા એકત્ર થયા છીએ તેથી જે અનુભવ સિવાય સમજી શકાય તેમ નથી તેવી વાત શબ્દમાં લાવી તેવા ગહન વિષયને શ્રેતા આગળ મુકવો એ નહિ બનવા યોગ્ય છે; તોપણ જેમ બાળકને પોતાના વિચારો જણુંવવા શબ્દ મળતા નથી તેથી તે ભાંગ્યાતુટયા શબ્દમાં પણ પિતાના મનના વિચારોનો ભાવાર્થ બીજાઓને સમજાવે છે તેમ આ ધ્યાનના વિષાને શબ્દદ્વારા કહેવાને કરાતી આ હારી પ્રવૃત્તિ સમજવી. આપણે નિંદ્રામાં હોઈએ છીએ હરે આપણી બાજુમાં ગમે તેવા ભય કર અથવા આકર્ષક બનાવો બનતા હોય તો પણ હેની અસર આપણને ઠતી નથી. હેનું કારણ માત્ર નિદ્રામાં : ઉત્પન્ન થયેલા સુખને અતિશય છે. વળી નિદ્રાના અગાઉ જે અનેક વિકલ્પો આપણું હૃદયમાં જાગૃતિ ધરાવતા હોય તે વિચાર જહાં સુધી નિદ્રાવસ્થા રહે ત્યાં સુધી વિસ્મૃત થઇ જાય છે. તેમજ ધ્યાનના અતિશે સુખથી આપણું સમીપે બનતા પ્રિઅપ્રિય બનાવો આપણને અસર કરી શકતા નથી. અને અનેક પૂર્વના વિ ોિ બાનાવસ્થામાં નષ્ટ થઈ જાય છે. ધ્યાન એ શબ્દ શેર ધાર ધાતુ ઉપરથી બનેલું છે. હેનો અર્થ ધારણ કરવું ચિંતવવું એવો થાય છે. યાતા અને ધ્યેય. ' આટલું કહીને હવે “ધ્યાન ' એ શબ્દ સાથે સંબંધ ધરાવતા “ધ ાતા અને બેય એ બે શબ્દો વિષે બોલીશું. ધ્યાતા' એટલે ધ્યાન * મુનિશ્રી ચારિયજીએ ૧૯૦૭માં મુંબઈ ખાતે આપેલું ભાષણ
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy