SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જનહિત છુ. ચર્મચક્ષુથી જે ન દેખાય તથા કોઈ શસ્ત્રથી જેને નાશ ન થાય તે સુભમ; અને જે ચર્મચક્ષુથી જોઈ શકાય તે બાદર. જાણવા. જેને માત્ર શરીર હોય તે એકેદ્રિય જીવ પૃથ્વીકાય, અપકાય, તે - કાય, વાયુકાય તથા વનસ્પતિકાયના જે “એકેદ્રીય’ છે. - જેને શરીર તથા જીભ હોય તે બેઈદ્રિય જીવ છે. ગગડા, જલે, કરમીયા, પુરા વગેરે. જેને શરીર, જીભ તથા નાક હોય તે તેઈદ્રિય જીવ છે. કડી મંડા, માકણ, ઉધઇ, ધનેડા, ગધેયા, કંથવા, જુ વગેરે. જેને શરીર, જીભ, નાક તથા આંખ હોય છે તે ચરેકિય જવ જાણવા. વીંછી, તીડ, ભાંખી, ભમરા, મસલાં, પતંગી વગેરે. જેને શરીર, જીભ, નાક, આંખ તથા કાન હોય છે તેને પચેવિય જીવ જાણવા. પર્યાપ્તિ એટલે શક્તિ-કર્મનાં દળીથી જોડાયેલા છવમાં પ્રગટ થએલી બીજા પુલને સંચય કરનારી શક્તિ જેનું મૂળ છે એવી એક વિશેષ શક્તિ. પર્યાપ્તિ છ છે. આહાર, શરીર, ઇકીય, શ્વાસોચ્છાસ, ભા. તથા મન. જેને જેટલી પર્યાણિ હોઈ શકે તેટલી બધી પર્યાતિને પ્રાપ્ત થયેલા છે પર્યાપ્તા અને એ પર્યાપ્તિ બધી સંપાદન કરતાં પહેલાં મૃત્યુ પામતા છે તે અપર્યાપા” કહેવાય છે. એકંદ્રિયને પહેલી ૪; બેઈદિય, તે દિય, ચારેદિય જેને પહેલી ૫; અને પંચૅચિને ૬ પર્યાપ્તિ હોય છે. સંજ્ઞી પંચેંદ્રિયને મન હોવાથી સમજશક્તિ– સંજ્ઞા ” હોય છે અને અસંજ્ઞી પંચૅપ્રિય મન વિનાના જેવો છે. સમૂઈિમ (દેડકા, ભાછલાં વગેરે તથા ઝાડો, પેશાબ, ઉલટી, બડખા, ખાળ વગેરેમાં ઉત્પના થતા ) છ અસંગી છે. દેવતા, મનુષ્ય, નારકી અને સંસી તિર્ય (પશુ, પક્ષી વગેરે) ને મન હોય છે. અસંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચને મન નથી. (૨) મની તવે. અજીવ એટલે જવ વગરનું. અજીવનું લક્ષણે અચેતન છે. જીવ પદાર્થ શરીરાદિક જડપદાર્થ સાથે એક ક્ષેત્રાવગાહી થઈ રહેછે રહે સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy