SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ બા બોલ્યા તે સત્ય પ્રવાહ રૂપે તે સત્યને વૃત્તિમાં ઠરાવવું. એમ હારે વૃત્તિ બ્રહ્માકાર થાય મહારે હેમાંથી બીજી ભાન માત્ર દૂર કરી કેવલ એકરસ બ્રહ્મદર્શન પામવું એ નિદિધ્યાસન.” જે જાયું હોય તે જ થવું એ અપરોક્ષ. પછી . જ્યારે એમ થવાયું છે એનું પણ વિસ્મરણ થાય,ને સર્વદા એ સ્થિતિ રહે, તે નિર્વિકલ્પ. સ્વ. પ્રો. મણિલાલ નભુભાઈ ત્રિવેદી B. A. બાવો બોલ્યા તે સત્ય ! એક રજવાડાના કારભારી આગળ કોઈ વિદ્વાને વેદાંતની ચર્ચા કરતાં કહ્યું કે “જ્ઞાન માટે અધિકારી થવું જોઈએ, ” હારે મંડળીમાંથી એક પંડિત, કારભારીને ઉદેશી બોલી ઉઠયા કે “ભાઈ, આપ કરતાં મોટા અધિકારી કોણ છે? છતાં આપ સમજી ન શકે એવી વાત આ બતાવે છે કે કેમ સંભવે ?” આવાને આવા અધિકારીઓ અને તેમના ખુશામદ કરનારાઓથી સત્યનું સત્યાનાશ વળેલું છે, ને હાં હાં અંધકાર ફેલાઈ રહ્યો છે. કારભાર કરનારા જાણે છે કે હું એ કારભારું ડોળું છું માટે કશી વાત મહારાથી અગમ્ય હાય જ કેમ ? વિદ્યાવિલાસીઓ જાણે છે કે અમે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું હેને ખોટું કહે જ કોણ? ધર્માભિમાની પથપ્રવર્તકે જાણે છે કે અમે ઠાવકું મોં રાખી “અહું બ્રહ્મ’ કહીએ છીએ ડેને ઇનકાર કરનાર કોણ છે? મહારે ઘડે પણ એમ જાણે છે કે હું તે હું જ–ને મહારા પગના બુટ પણ કોણ જાણે એનું એ જ અહં પદ જાણીને રાતદિવસ ચુંકારામાંથી નીકળતા નથી! બધી દુનીયા જ “અહંમાં ફબી છે ! આ લખનાર કહાં હશે, એની વાંચનારને શંકા થશે પણ એ એમને એમાંજ; નહિ તે લખે શા માટે? પણ એને વાંચનાર જેવો અધિકારી ! ઘણું એવાએ અધિકારી હોય છે કે બ્રહ્મજ્ઞાન પર પણ કારમારીને અધિકારીમાં ગણે! હેને આપણે શું કરી શકવાના છીએ ? વારંવાર લોક લવે છે–અરે! સારી પંડિતી પાઘડી અને અંગરેજી મૂળ રાખનારા પણ ઓચરે છે કે ભાઈ ફલાણું દીવાને ફલાણના કાર્યને વડવું, ફલાણું આચાર્યે પિતાને આચાર વખાણે, ફલાણુ વિદ્વાને ફલાણુને ધિકા, એ તે ખાટું હોય જ કેમ?
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy